________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
સમજવાનું છે કે સત્ પુરૂષે જે કાર્ય માથે લે છે તેને કદાપિ ત્યજતા નથી. પ્રતિજ્ઞા પાળવી તેજ ખરેખર સત્ય છે.
प्रतिज्ञा वीरनी शोभा, प्रतिज्ञा कीर्तिन ल्हाणुं
प्रतिज्ञा स्वर्गनी कुंची, प्रतिज्ञा प्राणनी मूर्ति-२ ભાવાર્થ–
वीरशोभा प्रतिज्ञैव, नान्यत् किंचिद् विचारय । प्रतिज्ञाभ्रष्टलोकस्य, जीवनं तत्तु दृषणम् ॥ १॥ यश कीर्तिप्रसादोहि, प्रतिज्ञापालनाद्भवेत् । कुंचिका स्वर्गद्वारस्य, प्रतिज्ञैव विभावय ॥२॥ प्राणमूर्तिः प्रतिज्ञैव, सर्वधर्मस्य जीवनम् । जानाति तद्रहस्यं यः. सैष साधुर्महीतले ॥३॥
શ્રીવૃદ્ધિારસૂરિ ગમે તે વીર મનુષ્ય ગણાતો હોય પરંતુ પ્રતિજ્ઞાપાલન ગુણ વિના તે વીરની શોભાને લાયક નથી. પ્રતિજ્ઞા પાલનમાંજ વરની શોભા છે. નામવીર, સ્થાપનાવીર અને દ્રવ્ય વીર કરતાં પ્રતિજ્ઞાપાલન કરનાર વીરની ઓર પ્રકારની શોભા છે. જ્યાં સુધી પ્રતિજ્ઞાપાલનત્વ પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી મનુષ્ય તરીકે વિશ્વમાં ગણાવું તે અગ્ય કરે છે. બંધુઓ! એ ભારતવાસીઓ !!! જે તમારે કર્મવીર, ધર્મવીર, બનવું હોય તે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરે. પ્રતિજ્ઞા દેવીનું આરાધન તન, મન અને ધનથી સતત આદરી, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરે. પ્રતિજ્ઞાદેવીને પ્રસન્ન કરવા આત્મભોગ આપે. મૃત્યુને ડર સદાને માટે તમારાથી વિમુખ રાખે. પ્રતિજ્ઞાના ધ્યાનમાં જ બસ મગ્ન થાઓ –સ્વપ્રતિજ્ઞાની સિદ્ધિમાંજ એકતા જોડી દે– લીન થઈ જાઓ - પ્રતિજ્ઞા પાળતાં આ જગમાં છતાં કે દૈવી વિશ્વમાં જ છે અને દેવી શકિતયેજ તમારે આધીન છે,
For Private And Personal Use Only