Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 108
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પ્રતિજ્ઞા પાલન. વિના કે મનુષ્ય પ્રતિજ્ઞાપાલક બની શકતું નથી. માન અને અ૫માન, લાલસાએ, અહં મમત્વભાવના, રાગ, દ્વેષ આદિને જીતીને જે જ્ઞાની, કગી બને છે, તે પ્રતિજ્ઞાઓને પાળવા સમર્થ થાય છે. નિલેપ કર્મચગી સર્વ પ્રકારે એગ્ય થવાથી પ્રતિજ્ઞાપાલન કરી શકે છે. સમયજ્ઞ થવાથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં અનેક રીતે વર્તવાના અનુભવ મળે છે અને પ્રતિજ્ઞાપાલના વર્તમાનિક ઉપાયને સર્વ પ્રકારે ગ્રહી શકાય છે. અતએ સમયજ્ઞ થઈને પ્રતિજ્ઞા પાળવાની અત્યંત જરૂર છે. સમય જ્ઞાતા બનીને કૃત પ્રતિજ્ઞાઓને પૂર્ણપણે પાળનારને તે સર્વત્ર જગમાં યશવાદ પ્રસરે છે. પ્રભુ દરબારમાં જાવા, પ્રતિજ્ઞા પાસના જેવી; બુદ્ધયધ્ધિ સિદ્ધ સાધનમાં, પ્રતિજ્ઞાઓ વતની છે. ૭૨ વિવેચન –પ્રભુ દરબારમાં અર્થાત્ પરમાત્મસિદ્ધસ્થાનમાં પ્રવેશ કરવાને માટે પાસના જેવી સટીફીકેટ જેવી પ્રતિજ્ઞા છે. જેની પાસે જ્યાં જવાને પાસ હોય છે. ત્યાં ગમન કરતાં કે તેને અવ ધ કરતું નથી. તદ્વત્ તેની પ્રતિજ્ઞાપાલન રૂપ પાસ છતાં કે તેને નિરોધ કરતું નથી. બુદ્ધિ અર્થાત્ જ્ઞાનના સાગરરૂપ સિદ્ધ પરમાત્માની પ્રાપ્તિમાં સાધનરૂપ મહાવ્રત પ્રતિજ્ઞાઓ છે. તેનું જે પાલન કરે છે તે સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે. વ્રત પ્રતિજ્ઞારૂપ પાસની પ્રાપ્તિથી સ્વર્ગ સિદ્ધિનાં દ્વાર ખુલે છે માટે સજજોએ પ્રતિજ્ઞા પાળવા સદા કટિબદ્ધ થવું જોઈએ. પ્રતિજ્ઞા પાલનની ઉપગિતા, મહત્તા સંબંધી જે જે કરવું તેને હૃદયમાં સાર ધારણ કરીને પ્રેત્સાહથી પ્રવર્તવું જોઈએ. જ્યાંથી પડયા ત્યાંથી પાછા ચડે. જ્યાંથી ભૂલ્યા ત્યાંથી ગણે એટલે પ્રતિજ્ઞાપાલનમાં દરરોજ નવ્ય શકિતને પ્રાપ્ત કરી શકશે. જેણે પ્રતિજ્ઞા પાળી તેણે સર્વ પાન્યું એવો નિશ્ચય કરીને પ્રતિજ્ઞાપાલન કરે કે જેથી સર્વ પ્રકારથી શુભ મંગળમાળાઓ પ્રાપ્ત કરે– ॐ श्रीगुरुभ्यो नमः For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111