________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
પ્રતિજ્ઞા પાલન,
--------~- ~~-~-~~-~પામવા નથી પામ્યાં–માતા તારા પ્રત્યેક સંતાને દરરોજ ઉપરેત પુસ્તકને પ્રાતઃકાળમાં પાઠ શિખવા કટિબદ્ધ કર ભીષ્મ જોવાની દારૂણ પ્રતિજ્ઞાઓનું મનન કરવાની શું આવશ્યક્તા નથી? ભીમે દુર્યોધનની જ ઘા ફાડવાની પ્રતિજ્ઞા પૂર્ણ કેવી રીતે કરી તેનું લક્ષ ભારતવાસીઓમાં દઢ શું નહિ થાય? કૃષ્ણને અર્જુન પ્રતિ પ્રતિજ્ઞામાં દ્રઢ થવાને બોધ તારા સંતાનેમાંથી નાશ પામ્યા ત્યારેજ હે માતા તારા દુષ્ટ સંતાનને લીધે તારી પિતાની દુર્દશા થઈ. ભારત માતાના સંતાને એ પરિપૂર્ણ સ્વાર્પણ કરીને પ્રતિજ્ઞા પાળવામાં સદા તત્પર રહેવું જોઈએ.
અહે એ ધન્ય ભૂમિને, અહો એ ધન્ય છે ફળને, પ્રતિજ્ઞા પાળકે ઉપજે-રહે ઇતિહાસના પાને–૧૪
જ્યાં પ્રતિજ્ઞા પાળકે ઉપજે છે. એવી ભૂમિને અહો ધન્ય છે. તેમજ એવા કુળને ધન્ય છે, ધન્ય તે નગરી, ધન્ય વેળા–ઘડી, ધન્ય પિતા કુળવંશ જિનેશ્વર (ધર્મનાથસ્તવન) શ્રીમદ્ આનંદઘનજી મહાત્મા કર્થ છે કે જે તીર્થંકરે જ્યાં જન્મ્યા તે ભૂમિ, નગરી,તે વેળા, તે વંશ અને તે કુળને ધન્યવાદ ઘટે છે. પ્રતિજ્ઞા પાળકમાં મહા શર લોકેનર વીર તીર્થંકરની પ્રતિજ્ઞાઓથી આર્યાવર્ત સદા મગરૂર છે. પ્રતિજ્ઞા જે દેશની ભૂમિમાં પળાય છે તે ભૂમિને ધન્યવાદ ઘટે છે. ગ્રીસ કરતાં, ઈજીપ્ત કરતાં, આર્યાવર્તમાં અનેક પ્રતિજ્ઞા પાલક મનુષ્ય ઉત્પન્ન થાય છે તેથી આર્યાવર્તની ભૂમિને ધન્યવાદ ઘટે છે. પ્રતિજ્ઞા પાલકથી જે ભૂમિ સ્પર્શાય છે તે ભૂમિમાં તેવા પ્રકારનાં આધેલને પ્રગટે છે, અને તેથી ત્યાં પ્રતિજ્ઞા પાલક સંતાનની ઉત્પત્તિ થાય છે. સર્વ દેશોમાં ભારત ભૂમિની શ્રેષ્ઠતા છે, તેનું કારણ એ છે કે ત્યાં અનેક પ્રતિજ્ઞા પાલક મહાત્માઓ-દ્ધાઓ પૂર્વે થયા હતા. ભવિષ્યમાં પણું ભારત માતાના ઉદરમાંથી અનેક પ્રતિજ્ઞા પાળક વીરે પ્રગટશે. પ્રતિજ્ઞા પાળકોનાં કુળ વખણાય છે. ભારતમાં જે જે જાતે ઉત્તમ ગણાય છે તેનું કારણ એ છે કે તે જાતિમાં પ્રતિજ્ઞા પાળકે થયા હતા. ખરેખર પ્રતિજ્ઞા પાળક મનુષે ઇતિહાસના પાને અમર રહે છે. જે ભૂમિમાં દેશમાં પ્રતિજ્ઞા પાળકે ઉદ્ભવે છે તે ભૂમિ સર્વ દેશમાં
For Private And Personal Use Only