Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ પ્રતિજ્ઞા પાલન. વિવેચન–પ્રતિજ્ઞા પાલન ખરેખર શક્તિમય દેવી છે તેથી તેની આરાધના કરતાં જે પાછું પડે છે તેને શત પ્રકારે બકે લાખ પ્રકારે નાશ થાય છે. “પ્રતિજ્ઞાખ્રણ નાનાં રાત વિનિgra:જે વચન ટેકથી પડે છે તે ગમે તેવો ઉચ્ચ હોય છે છતાં પોતે પડતે છેક અવનતિના તળીએ આવી પડે છે. પવિત્ર ગંગાનું જેમ સ્વર્ગમાંથી શિવના મસ્તક ઉપર અને શિવના મસ્તક ઉપરથી પૃથ્વી ઉપર–અને ભૂમાતાના એળેથી સમુદ્રમાં અને સમુદ્ર વડે પાતાળમાં ગમન થયું તેવી જ રીતે પ્રતિજ્ઞા ભ્રષ્ટની સ્થિતિ થાય છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થનાર મનુષ્ય એક ભૂલ કરતાં છેક નીચે જાય છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટતાની સાથે નીચતા-પતિત દશાને અત્યંત સંબંધ છે. પ્રતિજ્ઞા પાલનત્વથી પશ્ચાત્ ભ્રષ્ટ થતાં આ ન્નતિના શિખરથી રાજાઓ શેઠીયાઓ,સમાજ, રાજ્ય, ધર્મ, સમાજ, કુટુંબ, જાતિ વગેરેને વિનિપાત થયા વિના રહેતું નથી. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થનાર કદાપિ એમ માને કે હું ઉન્નતિ પર છું પરંતુ તેમાં તેની ભૂલ છે. મરાઠાઓએ શિવાજીની પ્રતિજ્ઞા પ્રમાણે રાજ્ય પ્રગતિ માટે જે યુદ્ધ પાછળથી કર્યું હોત તે તેમને પાછળથી શતમુહ વિનિપાત થયે તે થાત નહિ. શિવાજીની પ્રતિજ્ઞા હતી કે હિંદુઓ સાથે યુદ્ધ કરવું નહિ. હિંદુઓના ઉદ્ધાર માટે યુદ્ધ કરવું. મુસલમાને છે કે હિંદુને સતાવે તે હિંદુને પક્ષ લે. હિંદુ રાજ્ય સાથે બાથ ભીડને મહેમાંહે લઈને નબળા પડી જવું નહિ. હિંદુએમાં અને હિંદુ રાજ્યમાં પરસ્પર પુટ કરવી નહિ. મહારાષ્ટ્રીઓએ પરસ્પર યુદ્ધ કરવું જોઈએ નહિ. ઈત્યાદિ શિવાજીના બે પ્રમાણે મરાઠાઓએ વર્તન રાખ્યું નહિ. તેઓએ રાજપુતે સાથે યુદ્ધ આરંભ્યાં મહેમાહે કપાઈને મુઆ. શિવાજીને મુળ ઉદ્દેશ ભૂલી ગયા, અને એશઆરામ, મોજ શોખમાં પડી જઈ પોતાના હાથે વપગ પર કુહાડે માર્યો. પાણીપતના પાંચમા યુદ્ધ વખતે મારવાડના રાજાઓની સલાહને તુચ્છકારી નાખી તેથીજ મરાઠાઓને શતધા વિતિપાત થયે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111