________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પ્રતિજ્ઞા પાલન.
લક્ષ્મીદેવી. અલ્પ સમયને માટે મનુષ્ય જીવન ઉષ્ણ બનાવે છે ત્યારે. પ્રતિજ્ઞા દેવી ચહાયશે સુખ હોય વા દુઃખ હોય, ચહાયો પૈસો હોય વા ન હોય, પણ તે દેવીની આરાધના કરનારનું જન્મ મરણનું દુઃખ સદાને માટે નાશ કરે છે.
ભીર હંમેશાં સુપ્રતિજ્ઞાને ત્યાગ કરી નાખે છેને પિતાની ટેકને ગુમાવી દે છે. ચિતેડના મહારાણાઓ ઉપર પ્રતિજ્ઞાત્યજી દેવાના અનેક પ્રસંગે આવી પડયા, પરંતુ તેઓએ સૂર્યવંશીની પ્રતિજ્ઞાને ટેક ત્ય નહિ. પિતૃઓની મહાન જાતિને કલંક લગાડ્યું નહિ. શશાંક કલંકિત છે કિંતુ સૂર્યનારાયણ તે કલંકરહિત છે. તે સૂર્યવંશી નૃપ કદાપિ સ્વગોત્રને કલંકિત કરી શકે જ નહિ. જ્યારે કલંક રહિત શેત્ર વા મુખ હોય છે ત્યારેજ બહાદુરીથી સ્વમુખ ઉ રાખી શકાય છે અને વિશ્વમાં વાહવાહ કહેવાય છે.
સમ્રાઅકબરે સ્વમુખેથી ભર સભામાં વિપત્તિવાદળથી ઘેરાયેલા જીવતાસૂર્ય મહારાણા પ્રતાપની પ્રશંસા કરી, વખાણ કર્યા, તે શું માન ગણાય નહિ ? ખરેખર સ્વપક્ષ પરપક્ષને ધન્યવાદ તેજ સ્વર્ગની સુંદરીઓના આલિંગન કરતાં શ્રેષ્ઠ છે. કહ્યું છે કે —
अभिमुखनिहतस्य सतस्तिष्ठतु तावज्जयोऽथवा स्वर्गः । उभयबलसाधुवादः श्रवणसुखोऽसौ बतात्यर्थम् ॥ અનેક વિપત્તિ સહન કરીને શુરવીર પૂર્ણ પ્રતિજ્ઞાને પાળે છેઃ
મહારાણા હમીર, કુંભ, પ્રતાપ, વનરાજ, ચંદ્રગુપ્ત, ચંદબા રેટ, વિગેરે પ્રતિજ્ઞા પાળકની વિશ્વમાં ચરણધૂલી પૂજાય છે અર્થાત પ્રતિજ્ઞાવ્રતટેકને પાળનારાઓની પગનીચેની રજનાં કણે પણ અન્ય જનવડે પજાય છે. શીર્ષપર ચડાવાય છે, પ્રતિજ્ઞા પાળકની ચરણ ધૂલી ખરેખર વિશ્વમાં વંદનીય છે. વચન પાળક, પ્રતિજ્ઞા પાળક બનવું મહા મુશ્કેલ છે. પ્રતિજ્ઞા પાળકની ચરણ ધૂલમાં પ્રતિજ્ઞા પાળકના શરીનાં આંદોલનનું સત્વભરાય છે, અને તેના પૂજકે પર અત્યંત અસર
For Private And Personal Use Only