________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન,
૫૧
સ્તનન
તત્ જે જે મનુષ્ય શુભ પ્રતિજ્ઞાઓથી, ઉદયની પ્રતિજ્ઞાઓથી પડે છે તેઓને શતમુખ વિનિપાત-અવનતિ થાય છે.
પ્રતિજ્ઞા જીવતી શક્તિ, કરીને પૂર્ણ પાળ્યાથી; પ્રતિજ્ઞા ચૂકતાં ચૂકયે, ખરેખર સ્વપ્રતિષ્ઠાને ૩ર
વિવેચન–પ્રતિજ્ઞારૂપ જીવતી શક્તિને પૂર્ણ પાન્યાથી સ્વાત્મપ્રતિષ્ઠાની સિદ્ધિ થાય છે. પ્રતિજ્ઞા પાલનને ચૂકતાં મનુષ્ય સ્વપ્રતિષ્ઠાને ચૂકે છે. પ્રતિજ્ઞા પાલન કર્યા વિના કેઈની વિશ્વમાં પ્રતિષ્ઠા થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. જેના બેલની પ્રતિષ્ઠા પડતી નથી તેને આત્માની પ્રતિષ્ઠા પડતી નથી. જેની પ્રતિજ્ઞાનું ઠેકાણું નથી, તેના આત્માની નિર્બળતા છે. પ્રતિજ્ઞાપાલનમાં જે શાહુકારી છે તેવી ગાડી, ઘોડા, લક્ષમી અને સત્તામાં નથી. પ્રતિજ્ઞા ચૂકવાની સાથે સ્વપ્રતિષ્ઠા મહત્તાને મનુષ્ય ચકે છે. પ્રતિજ્ઞાપાલનમાં મીઠું જીવન છે, અને જેણે તેનાં મિષ્ટ ફળે આસ્વાદ્યાં છે, તે પ્રતિજ્ઞાથી પાત થવા કરતાં મૃત્યુને પ્રાણથી પ્રિય ગણે છે. સ્વપ્રતિષ્ઠાની રક્ષા કરવી હોય તે પ્રતિજ્ઞારૂપ જીવતી શક્તિનું આરાધન કરવું જોઈએ. મૃતઃપ્રાય થયેલી શકિત કરતાં જીવતી શકિતથી વિશેષ પ્રગતિ થાય છે. પ્રતિજ્ઞારૂપ જીવતી શકિતથી મનુષ્ય ખરેખર શરીર છતાં જીવતે દેવ થાય છે. એ જેને નિશ્ચય થાય છે, તે પ્રતિજ્ઞાપાલનરૂપ જીવતી શકિતથી ક્ષણ માત્ર પણ દૂર રહેતું નથી.
પ્રતિષ્ઠાના ખર પ્રાણે, પ્રતિજ્ઞા પાળવામાં છે; પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા, પ્રતિજ્ઞા પાળવા પર છે. ૩૩
વિવેચન-પ્રતિષ્ઠાના ખરા પ્રાણે ખરેખર પ્રતિજ્ઞા પાળવામાં રહેલા છે, અને તેમજ પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા પણ પ્રતિજ્ઞા પાળવા પર છે. શિવાજીએ જ્યારે દેશદ્વારની પ્રતિજ્ઞા કરી હતી, તત્સમયે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પતિવ્રતાના પતિવ્રતની રક્ષા કરવી. સાધુ, ગરીબ, અનાથ, ગાય વગેરેની રક્ષા કરવી. શિવાજીએ મૃત્યુ પર્યન્ત
For Private And Personal Use Only