Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પટ - - - - - - - - - - - પ્રતિજ્ઞાના વિચારોને, અમલ કર ખરા ધ; ત્યજીને ભીતિ સઘળી, વિચરવું સ્વપ્રતિજ્ઞામાં. ૩૫ વિવેચન–પ્રતિજ્ઞારૂપ કરેલા વિચારોને આચારમાં મૂકવા માટે સત્ય ધર્યવડે અમલ કરે જોઈએ અને પ્રતિજ્ઞાપાલનમાં સર્વ ભીતિને ત્યાગ કરીને વિચરવું જોઈએ. પ્રતિજ્ઞાત વિચારોને અમલ કરવામાં સત્યકર્મયેગીપણું પ્રાપ્ત થાય છે, મહારાણુ બાપા રાવળને પ્રતિજ્ઞાત વિચારને અમલ કરવામાં ઘણું કષ્ટ વેઠવું પડ્યું હતું. માર્ટીન લ્યુથરને સ્વવિચારને અમલ કરવા માટે પોપના અસહ્ય પ્રહાર સહન કરવા પડયા હતા ગેલેલીએ સ્વરિચા રેને મરણાંત કgવડે વિશ્વમાં પ્રચાર્યા હતા, પરંતુ કિંચિત્માત્ર મૃત્યુને ભય પામ્યું નહતે. ઈસુકાઇષ્ટ પ્રતિજ્ઞાત વિચારેને વિશ્વમાં જાહેર કરવાને હસ્ત અને પગમાં ખીલા ઠેકાવવાનું પસંદ કર્યું હતું મહાત્મા સોક્રેટીસે સ્વપ્રતિજ્ઞાત વિચારના સત્યને અવલંબવામાં ઝેરના પ્યાલાને અમૃતરૂપ માની લઈ તેનું પાન કર્યું હતું. મહાત્મા સોક્રેટીસને અનેકશઃ ધન્યવાદ ઘટે છે. સર્વ પ્રકારની ભીતિથી ભય વિના સત્યના પૂજારી બની શકાતું નથી. સત્ય સ્વરૂપને ફેલાવો કરતાં બહીવું તેજ મરણ છે અને નાશ છે, એમ જ્યારે નિશ્ચય થાય છે; ત્યારે વિચારેને અમલ થાય છે. ઘણી વખત મનુષ્યનકામા આગામી ભયને કલ્પી ડરકું મીયાંની પેઠે સ્વપ્રતિજ્ઞા વિચારોથી ભ્રષ્ટ થાય છે. સ્વપ્રતિજ્ઞાત વિચારેને અમલ કરવા માટે સ્વાશ્રયી બને અને કેઈનાથી ડરે નહિ. જીવે નિજને મ માની, પ્રતિજ્ઞા પાળ કીધેલી; અમર થાનું પ્રતિજ્ઞાથી, જીવતાં દિવ્ય જીવનથી, ૩૬. વિવેચન—પિતાને જીવતાં છતાં મરેલે માનીને કીધેલી પ્રતિજ્ઞાને હે ભવ્ય મનુષ્ય! તું પાળ. મનુષ્યજીવને જીવતાં છતાં પ્રતિજ્ઞાથી દિવ્ય જીવન મેળવી અમર થવું જોઈએ. સત્ય બલવાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111