________________
(૧૪) નયમાર્ગદર્શક
સુરિવર–ભદ્ર, ખુશીથી કહે. તમારી શંકાઓને દૂર કરવા માટે જ અમે બપરિકર થયા છીએ.
નયચંદ્ર નમ્રતાથી બેભે–ભગવન, આપે દ્રવ્ય શબ્દની વ્યુ ત્પત્તિમાં જણાવ્યું કે, જે પિતાના પ્રદેશના સમૂહથી અખંડ વૃત્તિવડે સ્વભાવ તથા વિભાવના પર્યાયને પ્રાપ્ત થાય, તે દ્રવ્ય કહેવાય તે તેના સ્વભાવ તથા વિભાવના પર્યાય ક્યા કહેવાય તે મને સમજાવશે. સ્વભાવ કેને કહેવાય અને વિભાવ કેને કહેવાય? તે પણ કહેશે.
સૂરિવર સહર્ષવદને બોલ્યા-ભદ્ર, તમારું પ્રશ્ન યથાર્થ છે. ત. મારે સ્વભાવ અને વિભાવનું સ્વરૂપ જાણવાની જરૂર છે. તે જાણ્યા શિવાય દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી તે હવે ધ્યાન પૂર્વક સાંભળો –
દ્રવ્યને માટે પર્યાયને લઈને બે પ્રકાર દર્શાવ્યા છે. એક અણુ રૂલઘુ દ્રવ્ય અને બીજુ ગુરૂલઘુ દ્રવ્ય–તેમાં જે સ્થિર હોય, તે અગુ રૂ લઘુ કહેવાય છે, તેના દાખલા તરીકે સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર કદિપણ ચલાયમાન થતું નથી, તેથી તે અગુરુલઘુ કહેવાય છે, જે વસ્તુ તિરછી ગતિ કરનાર કે ચલિત હોય તે ગુરૂલઘુ કહેવાય છે. તેના દાખલા તરીકે પવન છે. હવે તે અગુરુલઘુ દ્રવ્યને જે વિકાર તે સ્વભાવ પર્યાય, અને તે સ્વભાવ પર્યાયથી જે ઉલટે તે વિભાવ પયાર્ય કહેવાય છે.
આ વખતે જિજ્ઞાસુએ વિનયથી પુછ્યું, ભગવન, સ્વભાવ અ ને વિભાવનું સ્વરૂપ તે સમજાઈ ગયું, પણ પર્યાયને માટે સ્પષ્ટ રીતે સમજાવે.
સૂરિવરે કહ્યું–ગુણના જે વિકાર તે પથાય કહેવાય છે. તેના બા ૨ પ્રકાર છે. અનંતભાગવૃદ્ધિ અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩ સંખ્યા ત ભાગવૃદ્ધિ, ૪ અનંત ગુણ વૃદ્ધિ, ૫ અસંખ્યાતગુણવૃદ્ધિ, ૬ સં. ખ્યાત ગુણવૃદ્ધિ, ૭ અનંત ભાગહાનિ, ૮ અસંખ્યાત ભાગહાનિ, ૯ સંખ્યાત ભાગહાનિ, ૧૦ અનંતગુણહાનિ, ૧૧ અસંખ્યાત ગુણહાનિ અને ૧૨ સંખ્યાત ગુણહાનિ. નરનારક વગેરે ચાર ગતિ