________________
નયમાર્ગદર્શક
( ૭ ) નયના લક્ષણેના પ્રમાણ આપ્યા, તેવી રીતે નયાભાસના લક્ષણનું કઈ પ્રમાણ છે કે નહીં?
સૂરિવર બેલ્યા–ભદ્ર, નયાભાસને માટે પણ પ્રમાણ છે, તે સાંભળ–
" स्वानि प्रेतादंसा दिकरांशापलापी नयानासः ।"
પિતાના ઈચ્છેલા પદાર્થના અંશથી બીજા અંશને જે નિષેધ કરે તેમજ નયની જેમ દેખાય તે નયાભાસ કહેવાય છે.
નયચંદ્ર–મહારાજ, આપે આ પ્રમાણ બહુ સારું આપ્યું, હવે હું તેને યાદ કરી રાખીશ, પણ એક બીજી શંકા ઉત્પન્ન થઇ છે કે, આપે જે સાત નય કહ્યા, તે સિવાય બીજા હશે કે નહીં? - સૂરિવર પ્રસન્ન થઈને બેલ્યા–ભદ્ર, બીજા વિશેષ હોઈ શકે
છે, પણ કાર્યો કરીને આ સાત નય મુખ્ય હેવાથી સદા મરણમાં રાખવા યોગ્ય છે, જે વિદ્વાન વક્તાનને વિસ્તાર કરવાની ઈચ્છા રાખે તે તે કહી શકે છે. નાના પ્રકારની વસ્તુમાં અનેક અંશેના એક એક અંશનું કથન કરનાર વતાના ઉપન્યાસમાં સર્વ નય આવી શકે છે.
- ભદ્ર નયચંદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાને સમય થઈ ગયે છે, તેથી આવતી બીજી યાત્રા કર્યા પછી તે વિષે વ્યાખ્યાન કરીશું, આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, તે વખતે સર્વના મુખમાંથી “આદિશ્વર ભગવાનની જય” એ ધ્વનિ પ્રગટ થયે તે પછી સૂરિવર પિતાના શિષ્યની સાથે પાદલિપ્ત નગરી તરફ આવ્યા, અને નયચંદ્ર પોતાના કુટુંબની સાથે મેતીશાહ શેઠની ધર્મશાળામાં પિતાને ઉતારે આવ્યું હતું.