Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 52
________________ નયમાર્ગદર્શક. ( ૩૯ ) ઘણીજ ઉપગી આ ગાથા તમે યાદ કરી છે. ભદ્ર નયચંદ્ર અને વત્સ જિજ્ઞાસુ, તમે પણ આ ગાથા યાદ કરી લેજે. આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન આગલ ચલાવ્યું, હે ભવ્ય આત્માઓ, એ ઉપર કહેલ પર્યાય જેમનું અર્થ–પ્રોજન હેય તે પર્યાયાર્થિક નય કહેવાય છે, તે નયના છ પ્રકાર છે. પહેલે અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, બીજે સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ત્રીજે ઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ચેથ સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક, પાંચમે કર્મપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક અને છઠે કપાધિ સાપેક્ષ અનેત્ય અશુદ્ધ પર્યાયાર્થિક-આ છ પ્રકાર પર્યાયાર્થિક નયના કહેવાય છે, તે છ પ્રકારના નયન દષ્ટાંત સાથે અર્થ સમજાવું, તે તમે ધ્યાન દઈને સાંભળજો–મેરૂ પર્વત વિગેરે સ્થાનમાં પકૂલને પ્રવાહ અનાદિ અને નિત્ય છે. અસંખ્યાત કાલે તે પુલને પરસ્પર સંક્રમ થયા કરે છે, પણ તેમનું સંસ્થાન તે તેનું તેજ રહે છે, એવી રીતે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના પર્યાય પણે જાણી લેવા. તેવી રીતે જે જાણવું, તે અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે. જે સિદ્ધના જીવ છે, તેને પર્યાય આદિ છે, કારણ કે, જ્યારે સર્વ કમને ક્ષય થાય છે, ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે આદિ થયા પરંતુ તેને અંત નથી, માટે તે નિત્ય છે, આમ માનવું, તે સાદિ નિત્ય શુધ નામે બીજે પર્યાયાર્થિક નય કહેવાય છે. દરેક સમયે સમયે પર્યાય વિનાશી અને જ્યારે તે વિનાશી થયા તે સમયે તેને ઉત્પાદ પણ થવાને જ; પરંતુ તેમની કૃવતા (સ્થિરતા) ગાણતાથી દેખાતી નથી, તેમ માનવું, એ સત્તાની ગણતાથી ઉત્પાદક થય ગ્રાહક અનિત્ય શુધનામે ત્રીજો પર્યાયાર્થિક નય કહેવાય છે. એક સમયમાં પર્યાય ઉત્પાદ, વ્યય અને યુવ–એ ત્રણથી રૂધાએલ હોય છે, પરંતુ પર્યાયનું શુદ્ધ રૂપ કયું કહેવાય કે જે તેની સત્તા ન દેખાડાય, પણ અહીં તે મૂલ સત્તા દેખાડી છે, તેથી પર્યાય અશુ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94