Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 60
________________ નયમાર્ગદર્શક ( ૭ ) અનેકરૂપે વસ્તુને માનવું, તે નૈગમનય કહેવાય છે. અને તે દ્રવ્યાર્થિક નયને પ્રથમ ભેદ ગણાય છે. બીજો સંગ્રહ નય છે. સમ એટલે સમ્યક્ પ્રકારે જે ગ્રહણ ક રાય, તે સંગ્રહ નય કહેવાય છે. એટલે જેનાથી અર્થને વિષય પિ ડિત થઈ એક જાતિમાં પ્રાપ્ત થાય, તે સંગ્રહ નય કહેવાય છે, આ સંગ્રહ નયમાં સામાન્યની માન્યતા છે; વિશેષની નથી, તેથી એ નય ના વચન સામાન્યના અર્થવાળા કહેવાય છે. એ સંગ્રહ નય સામા ન્ય રૂપવડે સર્વ વસ્તુઓને પિતાનામાં અંતર્ગત કરે છે અર્થાત્ સા. માન્ય જ્ઞાનને વિષય કરે છે. ભદ્રા નયચંદ્ર, હવે દ્રવ્યાર્થિક નયના ત્રીજા ભેદ વ્યવહારનયનું સ્વરૂપ કહું, તે તમે લક્ષપૂર્વક સાંભળજે. નૈગમ અને સંગ્રહનયના કરતાં વ્યવહારનય વધારે પ્રવર્તે છે. એ નયની સાથે આ વિશ્વના વ્યવહારને સંબંધ રહે છે તે વ્યવહારનય હંમેશા વિનિશ્ચયનાઅર્થમાં પ્રવર્તે છે. અને તેનાં સ્વરૂપનું લક્ષણ પણ તેને અનુસરીને જ રહેલું છે, - નયચંદ્ર–ભગવન, વિનિશ્ચય શબ્દને શું અર્થ થાય? તે કૃપા કરી સમજાવે. સૂરિવર–વિનિશ્ચય એ શબ્દમાં વિનિમ્ અને એ એવા ત્રણ શબ્દ છે. રથ એટલે પિંડરૂપ દેવું, એકઠું થવું, અને નિમ્ એટલે અધિક અર્થાત જે અધિક પિંડરૂપ થવું, તે નિશ્રય કહેવાય છે. નિશ્ચયને અર્થ સામાન્ય, તે સામાન્ય વિ એટલે જેમાંથી ગયો છે, તે વિનિશ્ચય કહેવાય અર્થાત સામાન્ય અભાવ, તેવા વિનિશ્ચયમાં જે સદા પ્રવર્તે, તે વ્યવહારનય કહેવાય છે. આ જગતમાં ઘડે,થાંભલે કમલ વગેરે જે પદાર્થો છે તે બધા તે તેની યોગ્ય ક્રિયામાં પ્રવર્તે છે, જેમકે, ઘડાથી પાણી લેવાય છે,થાંભલાથી ટેકે લેવાય છે વગેરે એ વ્યવહાર સર્વ દ્રવ્યમાં પ્રવર્તે છે, એ ક્રિયાવાળા પદાર્થોથી અતિરિક્ત (જુ૬) કોઈ સામાન્ય નથી, માટે એ વ્યવહારનય

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94