Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 84
________________ wwww w wwww vપv vv નયમાર્ગદર્શક ( ૭૧ ). અમારી સાતમી યાત્રા સમાપ્ત થઈ છે. આવતી કાલે અહિંથી વિહાર કરવાના ભાવ છે, માટે આજે સાત નય ઉપર કાંઈ વિશેષ વિવેચન કરી એ વિષયને સમાપ્ત કરવામાં આવશે. જે સાત નય વિષે તમને . સમજૂતી આપવામાં આવી છે, તે સાત નયનું મુખ્ય સ્વરૂપ તે તમારા જાણવામાં આવ્યું છે, હવે તે નયને માટે જૈન વિદ્વાને જે જુદા જુદા વિચારે બતાવે છે, તે હું તમને સંક્ષેપમાં સમજાવું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળજે. ઉપર કહેલા સાત નય જે અવધારણ (નિશ્ચય) સહિત હાય, તે તે નથ કહેવાય છે અને જે તે અવધારણ રહિત હોય તે મુનય કહેવાય છે, જ્યારે સર્વ સુનય મલે છે, ત્યારે સ્યાદ્વાદ–જેન મત પ્રતિપાદિત થાય છે. જ્યારે એ સર્વ નયને સંગ્રહ કરવામાંઆવે, ત્યારે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક–એ નય થાય છે, તેમ વળી તે જ્ઞાનનય અને ક્રિયાનય એવા નામવાલા નય તેમજ નિ. શ્ચયનય અને વ્યવહારનચ પણ કહેવાય છે. આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે, ભગવન, એ સાત નયની ગણના કયારે થઈ હશે ? સૂરિવર સાનદ થઈને બોલ્યા–ભદ્ર, પૂર્વકાલે સસતાર નામનું નાચક્રાધ્યયન હતું, તેની અંદર એકએક નયના સે સે ભેદ કહેલા હતા, તે કેટલેક કાલે વ્યવછેદ પામ્યા છે તે પછી અર્વાચીનકાલમાં દ્વાદશાર નચક્ર પ્રવર્તે છે, તેની અંદર એક એક નયના બાર ભેદ કહેલા છે, જે તમારે તે જાણવાની ઈચ્છા હોય તો તે પુસ્તકને અ ભ્યાસ કરજે.એ દ્વાદશાર નયચક્ર ગ્રંથનું પ્રમાણ અઢાર હજાર લોક નું છે. અને તે પ્રત્યેક લેક તમારે મનન કરવા યોગ્ય છે. નયચંદ્ર સહર્ષવદને બે –ભગવન, જ્ઞાનનય અને ક્રિયાનથનું સ્વરૂપ સમજાવે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, સમ્યક્ પ્રકારે હેય તથા ઉપાદેય વસ્તુને જાણવો, અને પછી આ શોમાં ઉપાદેય, કુલમળા ચંદના કિક . .

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94