Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 70
________________ નયમાર્ગદર્શક (૫૭) છે, અને શબ્દાદિક ત્રણ નય પયયાસ્તિકપણે ભાવનિક્ષેપમાં રહેલા છે. એમ કહે છે, અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ પ્રથમના ત્રણ નયમાં દ્રવ્યાસ્તિપણે ત્રણ નિક્ષેપા અને જુસૂત્ર વગેરે ચાર નય પર્યાયાસ્તિકપણે એક ભાવ નિક્ષેપમાં રહેલા છે–એમ કહે છે, આ પ્રમાણે તેમના જુદા જુદા મત છે, તથાપિ તેમને આશય એકજ છે, અને બન્ને આચાર્ય મહારાજેનું વચન પ્રમાણ છે. નયચક–મહારાજ, એ કેવી રીતે? સૂરિવર–ભદ્ર નયચંદ્ર, વસ્તુની ત્રણ અવસ્થા કહેવાય છે. ૧ પ્રવૃત્તિ, સંકલ્પ અને પરિણતિ જે વસ્તુની અંદર ગ વ્યા પારરૂપ ક્રિયા છે, તે પ્રવૃત્તિ કહેવાય છે. ચેતનાના પેગ સાથે મનને વિકલ્પ તે સંકલ્પ, અને પરિણામ રૂપાંતર પામવું તે પરિણતિ કહેવાય છે, તેથી કેઈ આચાર્ય પ્રવૃત્તિ ધર્મ અને સંકલ્પ ધર્મ એ બંનેને દયિક મિશ્રિતપણુને લઈને દ્રવ્ય નિક્ષેપે કહે છે, અને જે વસ્તુને પરિણતિ ધર્મ છે, તેને ભાવનિક્ષેપ કહે છે. કોઈ આચાર્ય તે વિકલ્પ તે જીવની ચેતના માટે તેને ભાવ નયમાં ગવે છે, અને પ્રવૃત્તિને વ્યવહાર નયમાં માને છે, સંકલ્પને ઋજુસૂત્ર નયમાં ગણે છે અને પરિણતિમાં જે એકવચન પર્યાયરૂપ તે શબ્દ નય ગણે છે, વળી બીજા નયને માટે એમ પણ માને છે કે, સંકલ્પવચનપર્યાયરૂપ તે સમભિરૂઢ નય, વચન તથા અર્થના સંપૂર્ણ પર્યાયરૂપ તે એવભૂતનય છે, અને તે ત્રણ શુદ્ધ ગણાય છે. આ વખતે નયચંદ્ર શંકા કરી–“ભગવન, શુદ્ધ નય અને અશુદ્ધ નય શું, તે વિષે બરાબર ઘટાવી સમજાવે. સૂરિવર-ભદ્ર નયચંદ્ર, નિશ્ચય અને વ્યવહાર નય જે કહે વાય છે, તેમાં વ્યવહાર નયના ભેદ થઈ શકે છે. અશુદ્ધ વ્યવહાર અને શુદ્ધ વ્યવહાર તેમાં અશુદ્ધ વ્યવહારના પાંચ ભેદ છે. ૧ અશુદ્ધ વ્યવહાર, ૨ ઉપચરિત વ્યવહાર, ૩ અશુભ વ્યવહાર, ૪ શુભ વ્યવહાર અને ૫ અનુપચરિત વ્યવહાર, આપણું શરીરમાં જે જીવ છે, તે જીવને જે રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપ અશુદ્ધતા અનાદિ કાલથી

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94