Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 57
________________ (૪૪) નયમાર્ગદર્શક.. દ્રવ્યમાં સંખ્યાતા અસંખ્યાતા પર્યાય રહેલા છે, અવધિજ્ઞાનથી જ તેને પરિચ્છેદ થઈ શકે છે અને પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. ભદ્ર, આહંત શાસ્ત્રના પ્રણેતાએ દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર અને કાળને માટે લખે છે કે, દ્રવ્ય ભાવની વૃદ્ધિમાં ક્ષેત્રકાલની વૃદ્ધિની ભજના છે અને દ્રવ્યની વૃદ્ધિ થતાં ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. આ ને ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. વળી ક્ષેત્રથી દ્રવ્ય અને નંતગણું છે અને દ્રવ્યથી પર્યાય અવધિ જ્ઞાનનું જ વિષયભૂત છે, તે સં. ખેય ગુણ તથા અસંખ્યય ગુણ છે.” હે શ્રાવિકા સુબેધા, તેથી દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપમાં ભેદ હઈ શકે છે, માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એવા નયના બે બેદ કહેલા છે. જો કે તે બંને નય પરસ્પર મલતા પણ છે, તથાપિ તે પિત પિતાનું જુદાપણું છોડતા નથી. સુબોધા–ભગવન, આપના આ ઉપદેશના પ્રકાશથી મારી શંકાનું અંધકાર નષ્ટ થઈ ગયું છે. મહાનુભાવ, આપે મારી પર મહાન ઉપકાર કરેલ છે. આપના જેવા અનગાર રત્નો ખરેખરનિષ્કારણ પરેપકારી છે. જિજ્ઞાસુ વિનયથી બે –ભગવન આપે મારી માતાની શંકા દૂરકરી પણ કૃપા કરી મારી શંકા દૂર કરે. ચરિવરભદ્ર, વળી તારે શી શકી ઉત્પન્ન થઈ છે? કહે જિજ્ઞાસુ—ભગવન, મેં એક સ્થળે વાંચ્યું હતું કે, સામાન્ય અને વિશેષ–એ દ્રવ્ય તથા પર્યાયથી જુદા છે, તે તેનયની સાથે કેમ ન જોડાય અને તે ઉપરથી સામાન્યાર્થિક અને વિશેષાર્થિક–એવા નયન બે પ્રકાર કેમ ન થાય? રિવર–-ભદ્ર, તને ધન્યવાદ ઘટે છે. તે જે શંકા કરી તે ખરી શકે છે. તારી તીવ્ર બુદ્ધિને પૂર્ણ અભિનંદન ઘટે છે. સાંભળ,

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94