Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ નયમાર્ગદર્શક ( ૨ ) સમયના ઉપયેગ નહીં રાખનારા મનુષ્યાની આયુષ્ય તદન વૃથા જા ય છે, અને તે પ્રમાદના પાત્ર બની પોતાનુ અમૂલ્ય માનવ જીવન ગુમાવે છે, આ પ્રમાણે કહી સૂરિવરે પોતાના વ્યાખ્યાનના આર’ભ કર્યાં. આર'ભ કરતી વખતે તે નીચે પ્રમાણે મ'ગલાચરણને શ્લોક માલ્યા હતાઃ— '' ऐंद्रश्रेणिनतः श्रीमानंदताना जिनंदनः उद्दधार युगादौयो जगदज्ञान पंकतः ॥ १ ॥ ઇંદ્રાની શ્રેણીએ નમેલા નાભિરાજાના પુત્ર શ્રીમાન્ આદીશ્વર ભગવાન્ આનંă પામેા, જેમણે યુગની આદિમાં આ જગતના અજ્ઞા નરૂપી કાદવમાંથી ઉદ્ધાર કર્યાં છે. ૧ આ પ્રમાણે મ'ગલાચરણ ર્યાં પછી આનંદસૂરિ પેાતાના ઉપદેશના આર‘ભ કરતાં બાલ્યા—ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સમાધા અને વત્સ જિજ્ઞાસુ, આજે સાત નય વિષેજે કહેવામાં આવે, તે તમે એક ચિત્ત સાંભળો, ભદ્ર નયચંદ્ર, સપૂર્ણ રીતે નયમાર્ગ કહી શકાય તેમ નથી. જેટલા વચનના માર્ગ છે, તેટલા નયના વચને છે, અને જેટલા નયના વચન છે, તેટલા એકાંત માનવાથી અન્ય મત છે, તેથી સર્વે નયનું સવિસ્તર સ્વરૂપ કહી શકાય તેમ નથી; માટે હું... તમને તેનુ સક્ષેપથી વર્ણન કહી બતાવું છું. ઉપર જે નયના લક્ષણ્ણા કહ્યા છે, તે નય મુખ્ય રીતે ૧ દ્રવ્યાર્થિંકનય અને ૨ પર્યાયા ર્થિક નય એમ બે પ્રકારે છે, તેમ વળી તે નિશ્ચયનય અને વ્યવહાર નય—એવા એ પ્રકારે પણ ગણેલા છે. તે દ્રષાર્થિકનય, પર્યાયાર્થિકનય, નિશ્ચયનય અને વ્યવહારનય—એ સર્વ નયના મૂળ ભેદ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નિશ્ચયનયના સાધન હેતુછે,એમ સમજવું, જેની અંદર ઉપર કહેલ દ્રવ્ય પ્રયેાજન રૂપે હાય તે દ્રવ્યાર્થિક નય કહેવાયછે, એટલે દ્રવ્ય છે અથ–પ્રયાજન જેનુ', તે દ્રવ્યાર્થિક કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94