________________
નયમાર્ગદર્શક
( ૩ ). જાય, જો એકાંત અભેદ માને તે સર્વ પદાર્થ એક રૂપ થઈ જાય, તેથી આ દ્રવ્ય છે, આ દ્રવ્યને ગુણ છે અને આ દ્રવ્યને પર્યાય છે, એવા વ્યવહારમાં વિરોધ આવી જાય અને તે વિરોધને લઈને દ્રવ્યને પણ અભાવ થઈ જાય.
જે દ્રવ્યને એકાંતે ભવ્ય સ્વભાવી માનવામાં આવે તે સર્વ દ્રવ્ય પરિણામી થઈ બીજા દ્રવ્યના રૂપને પ્રાપ્ત કરે અને તેમ કરવાથી સંકર વિગેરે દૂષણે દ્રવ્યને લાગુ પડી જાય. જે દ્રવ્ય એકાંત અભવ્ય સ્વભાવી માને તે સર્વથા શૂન્યપણાને પ્રસંગ આવે. જે દ્રવ્યને ૫રમભાવસ્વભાવી ન માને તે દ્રવ્યની અંદર પ્રસિદ્ધરૂપ શી રીતે આપી શકાય? કારણકે અનંત ધર્માત્મક વસ્તુને એકે ધર્મથી કહેવી તેનું નામ પરમભાવ સ્વભાવ કહેવાય છે, તેની અંદર બાધ આવી જાય, જે દ્રવ્યને એકાંત ચિતન્ય સ્વભાવ માને તે સર્વ વસ્તુ ચેતન્યરૂપ થઈ જાય, અને તેમ થવાથી ધ્યાન, અને દયેય, જ્ઞાન અને સેવ, ગુરુ અને શિષ્ય, વિગેરે મર્યાદાને ભંગ થાય, એમ થવાથી સર્વ શાસ્ત્રીય વ્યવહાર બંધ પડી જાય.
જે દ્રવ્યને એકાંત અચેતન સ્વભાવ માને તે સર્વ ચિતન્ય ધમને ઉછેદ થઈ જાય, જે દ્રવ્યને એકાંત મૂરવભાવી માને તે આત્માને મુક્તિની સાથે વ્યામિજ ન થાય, જે એકાંત અમૂર્તસ્વ. ભાવી માને તે આત્મા કદિપણ સંસારી થાયજ નહીં, જે દ્રવ્યને એકાતે એક પ્રદેશ સ્વભાવી માને તે અખંડ પરિપૂર્ણ આત્મા અનેક કાર્યને કર્તા નહીં થઈ શકે. જેમ માટીને ઘડે અવયવવાળો છે, તે દેશથી કંપવાળે અને દેશથી નિષ્કપ દેખાય છે. તે તેને અનેક પ્રદેશી ન માનવાથી એ વાત શી રીતે સિદ્ધ થશે? કદિ જો એમ કહે કે, તે ઘડાના અવયવ કરે છે, પણ પિતે અવયવી ઘડકંપતો નથી તે “ચાલે છે? એ પ્રયોગ શી રીતે સિદ્ધ થાય? જેમ એક પ્રદેશમાં થતા કપને પરંપરાએ સંબંધ છે, તેમ એક દેશમાં થતાં કંપના અભાવને પણ પરંપરાએ સંબંધ છે, માટે દેશથી ચાલે છે અને દેશથી ચાલતે નથી. એમ અખ્ખલિત વ્યવહારમાં અનેક પ્રદેશ માનવા જોઈએ.