Book Title: Katharatnasagar Author(s): Munichandrasuri Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 7
________________ ૧૬ અંશોવાળા તાડપત્રના ૧૩, ૧૪, ૧૫, ૧૬ ના ટુકડાઓ છે. ૨૦મા પત્રથી શ્રીદત્ત કથા (ચોથો તરંગ) ના ૨૫મા શ્લોકથી આગળ સંપૂર્ણ છે. છેલ્લું પાનું બરોબર વંચાતું નથી. = એટલે T પ્રતમાં ગ્રંથકારના મંગલાચરણ વગેરે શું હશે તે ખ્યાલ નથી આવતો. પરંતુ મોહનલાલ દેસાઈએ જૈ.સા.સ.ઈ. પારા પપ૬ પૃ. ૨૫૭ માં - “વસ્તુપાલે વિજ્ઞપ્તિ કરી કે - આપે મારા શિર પર હાથ મુકવાથી હું સંઘાધિપત્ય પામ્યો, સેંકડો ધર્મસ્થાનો અને દાનવિધિઓ કર્યાં, અને હવે જૈનશાસન કથાઓ સાંભળવા મારું ચિત્ત ઉત્કંઠ છે.” આ લખાણ મંગળાચરણના શ્લોક - નો અનુવાદ હોવાથી એમની સામે કે – પાટણના કેટલોગમાં પ્રતનો પરિચય આપનાર પાસે મંગલાચરણ હશે. અમને માત્ર S પ્રતમાંથી મંગલાચરણ મળ્યું છે. C પ્રતઃ ચાણસ્માસ્થિત શ્રી નિત્યવિનય જીવન મણીવિજયજી જૈન પુસ્તકાલયની આ પ્રત ૧૩૨ ક્રમાંકની છે. ૭૬ પત્રની આ પ્રત પં. ગુણવંતભાઈના સૌજન્યથી મળી છે. ગ્રન્થકારની પ્રશસ્તિ માત્ર આ પ્રતમાં જ જોવા મળે છે અને છેલ્લું પત્ર ઘસાયેલું કે ત્રુટક હોવાથી કેટલોક પાઠ વંચાતો નથી. પ્રશસ્તિ ગ્રંથના અંતે આપી છે. સાઈઝ ૩૦ સે.મી. × ૧૧ સે.મી. प्रन्तेः शुभं भवतु लेखकपाठ [कयो: ] K પ્રતઃ ખંભાત સ્થિત જૈનશાળા સમર્પિત નીતિવિજય જૈન પુસ્તકાલય (અમર જૈન શાળા ટેકરી)) ના ભંડારની આ પ્રતમાં ૧ થી ૮ પત્ર નથી. છટ્ઠા ભુવનચરિત્ર પાંચમા શ્લોકથી આમાં શરૂ થાય છે. આમાં ૧૧મો તરંગ વીર્યરામ અને ૧૨મો તરંગ લક્ષ્મીધરચરિત આટલો ક્રમભેદ છે. આ પ્રતિ સંશોધિત અને એકંદર શુદ્ધ છે. ૯ થી ૪૧ પત્ર છે. प्रांत પ્રાતંતીખસ્થાને... ગ્રંથાત્રં ૨૦૬૬ || આ પ્રમાણે છે. ઙ પ્રત આ પ્રત શેઠ સુબાજીરવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા (અમદાવાદ) શાસ્ત્રસંગ્રહની છે. = - ૧૭ પત્ર ૧૫, પત્રની દરેક બાજુ ૧૪ પંક્તિ, દરેક પંક્તિમાં લગભગ ૫૫ અક્ષરો છે. આમાં ૭ તરંગો છે. અંતભાગમાં - તિીત મૈયા મવસિષ રાજાળ || નાગૌર || . लोढाका चौक । मारवाड । अहिपुरमध्ये श्रीरस्तु कल्याणमस्तु शुभं મનુ || પ્રારંભમાં મંગલાચરણના ૧૦ શ્લોકો માત્ર આ પ્રતિમાં જ મળે છે. લે.સં. અનુમાનતઃ ૧૭મો સૈકો શ્રી બાબુલાલ કક્કલભાઈ વોહેરા આદિ ટ્રસ્ટીઓના સૌજન્યથી આ પ્રત મળી છે. D પ્રત ડેલાના ભંડારની આ પ્રત સાઈઝ ૨૭ સે.મી. × ૧૨ સે.મી. છે. આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.ના સૌજન્યથી આ પ્રત મળી છે. આ પ્રતમાં છઠ્ઠી કથા મકરધ્વજની છે. જે બીજી કોઈ પ્રતિમાં નથી. સામાન્ય રીતે દરેક તરંગના છેડે इति मलधारिशिष्य श्री नरचन्द्राचार्यविरचिते कथारत्नसागरे सजीने પછી મિત્રસેનવરિત નામ પંચમસ્તર : એ પ્રમાણે કથાનું નામ અને તરંગનો ક્રમાંક આપવાની પદ્ધતિ છે. અહીં D પ્રતમાં છઠ્ઠી કથાના અંતે “તિ મરધ્વનથી મૃષાવારે ત્યા વ્રતોષરિ" એવું લખાણ છે. એટલે આ કથા અન્યર્ક્ટક હોય એવી સંભાવના છે. અમે આવી અન્યકર્તૃક જણાતી કથાઓને પરિશિષ્ટ આપી છે. કૃતપુણ્યકથાના અંતે પણ ગ્રંથકારનું નામ નથી. માત્ર “વૃત્તિ વૃતવ્યથા ।' એ પ્રમાણે લખાણ છે. સુભદ્રાકથાના અંતે પણ માત્ર સુમદ્રવથા શ્રં ૬૮૨) જ્યારત્નસાગર । આ પ્રમાણે લખાણ છે. D માં નવમા તરંગના અંતે રૂતિ શ્રીમતધારે શ્રી દેવાનું તે જ્યારત્નસારે. નવરાતિ નામ નવમસ્તુર। અહીં પણ ગ્રંથકારનાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 109