Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 7
________________ છે... મેં મારી જિંદગીમાં ઢગલાબંધ પાપ કર્યા છે. હવે આ સાત દિવસમાં મારે કંઇ પાપ કાર્ય કરવું નથી. માત્ર પરમાત્માના નામસ્મરણમાં એ લીના થઇ ગયો. સાતમે દિવસે સ્વામી એકનાથ ભિક્ષા લેવા તેના ઘરે ગયા. ભક્તને ઘરે જોઇને તેમણે પૂછયું કેમ તમે દુકાને નથી ગયા ?” વિષયોમાં આસક્ત થાય છે, તેમને મનુષ્ય ન ગણવા જોઇએ.’ સંસારની કઇં ગતિમાં મોત સાથે નથી જોડાયેલું ? સ્વર્ગનો દેવ હોય કે નર્કનો નારકી ? મનુષ્ય હોય કે તિર્યંચ ગતિનું પશુપક્ષી હોય, જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી જ છે. ‘પ્રભુ, હવે દુકાને જવાનું હોય ?” સાત દિવસથી દુકાને નથી ગયો, દુનિયાના બધા પ્રપંચ છોડી દીધાં છે. દિન રાત પરમાત્માના નામસ્મરણમાં લીન રહું છું. ભક્ત એકનાથનાં ચરણોમાં નમસ્કાર કર્યા. મોતનું સ્મરણ વિષયરમણનું મારણ છે. પ્રથમ દુઃખ તો જન્મનું છે. જન્મ છે તો મૃત્યુનું દુઃખ છે. માટે જ શાસ્ત્રકાર પરામર્શીઓએ દુઃખના ક્રમમાં જન્મના દુઃખને પ્રથમ ગણાવ્યું છે. દા.ત. જન્મ, જરા અને મૃત્યુનું દુઃખ. જન્મ છે તો જરા અને મૃત્યુનું દુઃખ છે. જન્મ સમયની વેદનાનું આપણને સ્મરણ નથી, આપણે તો જન્મદિન ઉજવીએ છીએ. એકનાથે પૂછયું, ‘આ સાત દિવસમાં તમે કેટલાં પાપ કર્યા ?” ‘એક પણ નહિ !” મોત સામે દેખાય, પછી રંગ-રાગ કે ભોગવિલાસ ગમે ખરા ? વેપારધંધો કે બીજી આળપંપાળ ગમે ખરા. ભગવંત ? હવે... આજે તો છેલ્લો દિવસ છે...' જ્ઞાનીઓએ કહ્યું છે કે ‘અચાનક મોત કોઇને આવતું જ નથી મોત એ કોઇ આકસ્મિક ઘટના તો છે જ નહિ એ Growth છે... એક જાતનો વિકાસ છે... પરિવર્તન છે... જે જન્મના દિવસથી જ શરૂ થઇ જાય છે. હકીકતમાં જન્મ એ મૃત્યુનો પ્રથમ કિનારો છે અને “મૃત્યુ” એનો અંતિમ કિનારો છે. આ યાત્રા પહેલાથી શરૂ થઇ જાય છે. જેને આપણે પ્રથમ જન્મદિન કહીએ છીએ, તે મૃત્યુ યાત્રાનો પ્રથમ દિવસ છે, બસ જરૂર છે એ યાત્રાના સ્મરણની !” પ્રતિક્ષણ આપણને મોતનું સ્મરણ રહેશે જે આપણને આત્માનું અહિત કરે તેવી પ્રવૃત્તિથી બચાવશે. ‘મહાનુભવ ! તારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને ? “ “હા, મારા જીવનમાં કેમ એકેય પાપ નથી ? હું સતત મૃત્યુનું સ્મરણ કરું છું. મૃત્યુનું સ્મરણ પાપનું મારણ છે”. સંત કહે, હા, તને મૃત્યુનું સ્મરણ રહ્યું માટે તારું જીવન નિષ્પાપ બન્યું. તું ભગવત સ્મરણમાં લીન બન્યો ! તું હજુ જીવવાનો છે, આજે મરવાનો નથી. આતો નિષ્પાપ જીવનનું રહસ્ય સમજાવવા તને મેં કહેલું. મૃત્યુના સતત સ્મરણ માટે આપણે આપણા મૃત્યુદર્શનની. કલ્પના કરવી જોઈએ. મૃત્યુ સમયના વાતાવરણ અને પુનઃજન્મની કલ્પના ચિંતનમાં આવ્યા કરશે તો મૃત્યુનું સતત સ્મરણ રહેશે. ‘પ્રશમરતિ’માં ભગવાન ‘ઉમાસ્વાતિ’એ મૃત્યુ પર લખેલ ગાથાનું વિવેચન કરતા પ.ભદ્રગુપ્તવિજયજી મ.સા. લખે છે કે ‘સ્થાને અસ્થાને નિયત અને અનિયત મરણને પ્રત્યક્ષ જોવા છતાં જેઓને મૃત્યુનું સ્મરણ એ જ સમાધિમરણનું ચિંતન છે. -જીવનસંધ્યાએ અરુણોદય, - જીવનસંધ્યાએ અરુણોદય

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68