Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૭ પોષણ મળ્યા કરે. મનોવતીની એ વાત સાંભળીને મુનિરાજે વત્સલતાથી કહ્યું : બેટી, જૈનધર્મના ઊંચા સંસ્કારથી તારું જીવન ધન્ય બન્યું તેં જિનવ્રતની માગણી કરી તો તું ઉત્તમ પુષ્પાંજલિવ્રત ધારણ કર અને એ જિનવ્રતને તું દર્શનપ્રતિજ્ઞા સહિત અંગીકાર કર; એ જિનેન્દ્રદર્શન મહાન સુખકાર છે; જિનધર્મ વગરનું જીવન ધિક્કાર છે. ભગવાનના દર્શન વગરના માનવી તો પશુસમાન છે. મુનિરાજની એ વાત સાંભળીને મનોવતીએ વિનયપૂર્વક કહ્યું : હે સ્વામી! હું દર્શનપ્રતિજ્ઞા અંગીકાર કરું છું... પ્રભો, હું હંમેશ જિનેન્દ્રદેવના દર્શન કરું અને ગજમોતી ચઢાવીને એમનું પૂજન કરું -ત્યાર પછી જ ભોજન કરું-એ મારી પ્રતિજ્ઞા છે, તેમાં આપ સાક્ષી છો. મુનિરાજે આશીર્વાદપૂર્વક એ પ્રતિજ્ઞા આપી. અહીં, ૧૬ વર્ષની કન્યા જીવનભર જિનેન્દ્રદર્શનની આવી પ્રતિજ્ઞા કરે છે.. એને સંદેહ નથી ઊઠતો કે ગજમોતી જેવા ઊંચા મોતી જીવનભર મને ક્યાંથી મળશે? એને તો જૈનધર્મનો અને જિનેન્દ્ર-ભક્તિનો રંગ છે. એ લગનીના જોરે જિનેન્દ્રદર્શનની નિઃશંક પ્રતિજ્ઞા લીધી. મનોવતીએ ઉચ્ચ ભાવનાથી આવી દર્શનપ્રતિજ્ઞા અંગીકાર કરી તે દેખીને હજારો શ્રાવકજનો પ્રસન્ન થયા ને ધન્ય... ધન્ય કહી તેની પ્રશંસાપૂર્વક પોતે પણ દર્શનપ્રતિજ્ઞા લીધી. ઘરે જઈને મનોવતીએ દર્શનપ્રતિજ્ઞાની વાત માતાપિતાને કહી. તે સાંભળીને પિતાએ કહ્યું : બેટી! તે દર્શનપ્રતિજ્ઞા લીધી એ તો બહુ સારું કર્યું, પણ સાથે ગજમોતી ચઢાવીને પછી જ ભોજન કરવું-એવી જે પ્રતિજ્ઞા કરી, તેનું પાલન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86