________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૬ : દર્શનકથા
અને ભાઈઓ જ છે, તેઓ ઉચ્ચ કુળનાં છે. તેમણે આવું કામ કદી કર્યુ નથી, અત્યારે પાપકર્મના ઉદયથી તેઓ આવી મજૂરી કરવા તૈયાર થયાં છે. કુંવર તો રાજવૈભવ આડે બધું ભૂલી ગયા છે. પણ તમે મારી આજ્ઞા માનજો કે આ બધાંની પાસે ઓછું કામ કરાવજો. એ સાંભળીને મુનીમે તે આજ્ઞાનો સ્વીકાર કર્યો અને મનમાં તેને ધન્યવાદ આપવા લાગ્યો કે આવી સ્ત્રીઓને ધન્ય છે.-અને પછી તેણે બધાને યોગ્ય કામ સોંપી દીધું.
પરિચય અને કુટુંબિમલન
આ રીતે બધો પરિવાર મજૂરીમાં લાગી ગયો છે. ભૂતકાળને યાદ કરી કરીને તેઓ દુઃખી થાય છે. અરે, અમે લક્ષ્મી તો ગુમાવી ને નાનો ભાઈ પણ ગુમાવ્યો, આમ પશ્ચાતાપથી દુઃખી થાય છે, ને મજૂરી કરીને દિવસો વિતાવે છે.
એમ કરતાં કરતાં કેટલાક દિવસો વીતી ગયા બાદ એક દિવસે સુંદરીએ કુંવરને કહ્યું : હે સ્વામી ! મને આ મહેલમાં એક-એકલું લાગે છે, મારે કોઈ બીજી સખીની જરૂર છે, માટે તમારી માતાને મહેલમાં બોલાવી લો. એ સાંભળીને કુંવરે માતાને મહેલમાં મોકલી.
સુંદરી માતા પાસે મહેલનું કોઈ કામ કરાવતી નથી; તેને પોતાની સાથે ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન જમાડે છે, તથા તેની સાથે પકવાન્ન વગે૨ે મોકલીને આખા કુટુંબને ભોજન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com