________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : દર્શનકથા માથાની રેશમી દોરી છોડી; તેના માથાના ચિહ્ન ઉપર નજર પડતાં જ વૃદ્ધ માતાનું હૈયું એકદમ ભરાઈ આવ્યું, તે આંસુ પાડી–પાડીને ખૂબ રોવા લાગી.
ત્યારે સુંદરીએ પૂછયું-માતા, તમે આટલું બધું રડો છો તો તેનું શું કારણ છે?
વૃદ્ધ માતાએ કહ્યું-બેન, તારું મસ્તક જોતાં મને મારી આગલી વાત યાદ આવી. પણ એ વાત કહું તો કોઈ સાચી માને તેમ નથી.
સુંદરી કહે તમે ભય છોડીને, જે વાત હોય તે કહો.
વૃદ્ધમાતા હાથ જોડીને કહેવા લાગી-દેવી, સાંભળો ! અમે પહેલાં આવાં રંક ન હતાં; અમે વલ્લભીપુરના મોટા ઝવેરી હતાં ને અમારે ઘરે પ૬ કરોડ દીનાર હતી. અમારી હવેલી પર છપ્પન તો ધજા ફરકતી, ને દેશોદેશમાં અમારી પેઢી ચાલતી. મારે સાત પુત્રો છે, તેમાં સૌથી નાનો બુધસેન, તેના વિવાહ હસ્તિનાપુરમાં કર્યા. તેની સ્ત્રી અત્યંત શીલવતી હુતી; સુખકાર હતી; તેણે મુનિ પાસે એવી દર્શનપ્રતિજ્ઞા લીધી હતી કે ગજમોતી ચઢાવીને જિનદેવનું પૂજન કર્યા પછી જ જમવું; પરંતુ પૂર્વકર્મના પાપના ઉદયથી બુધસેનકુંવરને અમે ઘરમાંથી કાઢી મૂક્યો, પુત્રવધૂ પણ એની સાથે જ ગઈ. એ પુત્ર અને પુત્રવધૂનો ક્યાંય પત્તો લાગ્યો નહિ.
(વિશેષમાં વૃદ્ધ માતા કહે છે ) અમે જ્યારથી ઘરમાં જિનદર્શનની નિંદા કરી ને પુત્રવધૂને ઘરમાંથી કાઢી ત્યારથી અમારી લક્ષ્મી નાશ થવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com