Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૫૧ તેઓ મહેલમાં દાખલ થયાં કે તુરત કુંવરે દરવાજા બંધ કરાવી દીધા, આથી તે બધાંય વધુ ભયભીત થયા. ભયથી ધૃજતાં ધૃજતાં થોડીવારે તેઓ મહેલના ચોકમાં પહોંચ્યાં, ત્યાં મનોવતી સુંદરી બેઠી હતી. માતા-પિતા પ્રત્યે હાથ જોડીને કુંવરે કહ્યું કે હું પિતાજી ! હે માતાજી! આપ સૌ ભય છોડીને મારી સુખકર વાત સાંભળો. હું તમારો તે પુત્ર (બુધસેન ) જ છું કે જેને તમે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આમ કહીને કુંવરે માતા-પિતાને મસ્તક નમાવીને નમસ્કાર કર્યા; મનોવતીએ પણ સાસુને પગે પડીને નમસ્કાર કર્યા. હેમદત્ત શેઠ તો અપાર હર્ષિત થયા ને પુત્રને ગળે વળગાડયો. અને માતાના હર્ષનું તો કહેવું જ શું! પુત્રને અને પુત્રવધૂને જોતાં એ તો હર્ષથી ઘેલી બની ગઈ. એકબીજાના મિલનથી સૌને આંસુની ધાર વરસવા લાગી. વડીલ ભાઈઓને તેમજ ભાભીઓને પણ ઘણા જ હેતથી મળ્યા. પછી ઘરના ઇંડાર ખોલીને અનેક પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો કાઢી સૌને પહેરાવ્યાં; આખા કુટુંબને આનંદ પૂર્વક સજાવ્યું; હર્ષથી સૌએ સાથે બેસીને ભોજન કર્યું, ને પોતપોતાના સુખ-દુઃખની વાતો કરી. મનોવતીની દર્શનપ્રતિજ્ઞાની સૌએ ઘણી પ્રશંસા કરી. થોડા દિવસ પછી કુમારે વડીલ બંધુઓને કહ્યું-ભાઈ, આપ મારી વાત સાંભળો. કેટલુંક દ્રવ્ય લઈને આપ દેશાંતર જાઓ ને પછી ત્યાં વેપાર કરી, વૈભવસહિત અહીં પાછા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86