Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 70
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેડકાની વારતા (દેડકામાંથી દેવ) અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. એ વખતે ભગવાન મહાવીર આ ભરતભૂમિમાં વિચરતા હતા... ને ધર્મનો ઉપદેશ દેતા હતાં. મહાવીર પ્રભુ એકવાર રાજગૃહીનગરીમાં પધાર્યા. રાજગૃહીનગરી ઘણી જ રળીયામણી. શ્રેણીકરાજા ત્યાં રાજ કરે. તે રાજા જૈનધર્મના મહાન ભક્ત. એક દિવસ માળીએ આવીને રાજાને સમાચાર આપ્યા કે નગરીમાં પ્રભુ પધાર્યા છે. શ્રેણીકરાજા તો એ સાંભળીને ખુશખુશ થઈ ગયા. માળીને ઘણું ઈનામ આપ્યું... ને નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે મહાવીર પ્રભુ પધાર્યા છે; ચાલો સહુ તેમને વંદન કરવા.. ચાલો તેમનો ઉપદેશ સાંભળવા. રાજા તો હાથી ઉપર બેસીને ભગવાનને વંદન કરવા ચાલ્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86