Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 80
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨) ત્યારે મુનિએ કહ્યું કે હે રાજા ! આ વાંદરો પૂર્વભવમાં નાગદત્ત નામનો વાણીયો હતો. ત્યારે ઘણાં કપટભાવ કરવાથી તે વાંદરો થયો છે. પણ હવે તેને ઘણા ઊંચા ભાવ જાગ્યા છે; ને તેને ધર્મનો પ્રેમ જાગ્યો છે. ધર્મઉપદેશ સાંભળવાથી તે વાંદરો ઘણો ખુશી થયો છે; તેને પૂર્વભવનું જ્ઞાન થયું છે, અને સંસારથી તે ઉદાસ થયો છે. મુનિ પાસેથી વાંદરાના વખાણ સાંભળીને રાજા ઘણો ખુશી થયો. વળી મુનિઓએ કહ્યું : હે રાજા ! જેમ આ ભવમાં અમે તમારા પુત્રો હતા, તેમ આ વાંદરો પણ ભવિષ્યના ભવમાં તમારો પુત્ર થશે, અને જ્યારે તમે ઋષભદેવ-તીર્થકર થશો ત્યારે આ વાંદરાનો જીવ તમારો ગણધર થશે; ને પછી મોક્ષ પામશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86