Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 49
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૪૫ મેળાપ કરો. એમને ધન આપો, ને અપકાર ઉપર પણ ઉપકાર કરો. તેમના અવગુણ ન જોતાં ગુણને જુઓ. ત્યારે કુંવરે કહ્યું કે હે દેવી, સાંભળ! તેઓએ અભિમાનથી મને ઘરમાંથી કાઢી મૂક્યો, તેથી એકવાર તો તેમની પાસે મજૂરી કરાવું,-પછી તું જેમ કહેશે તેમ કરીશું. સ્ત્રીએ ઘણું સમજાવ્યું કે હે સ્વામી! તમે હવે રાજના ઠઠારામાં ડૂબી ગયા છો તેથી ચેતતા નથી. જુઓ, આ છપ્પન કરોડ દીનારના સ્વામી આજ ભીખ માગી રહ્યા છે, –માટે તમે લક્ષ્મીનો ગર્વ ન કરો, એ તો પડછાયા જેવી છે, કોઈ ઘરમાં તે કાયમ રહેતી નથી. આ પ્રમાણે ઘણું સમજાવવા છતાં કુંવર માન્યો નહિ, ને કહ્યું-બધાં પાસે મજૂરી કરાવીને પછી ઓળખાણ પાડીશ. ત્યારે મનોવતીએ કહ્યું : સ્વામી! હવે હું તમને કાંઈ કહેતી નથી; પણ મારું કહેવું આટલું તો જરૂર માનો કે માતા-પિતાને તો એક તરફ બેસાડી રાખજો. એમની પાસે મહેનત કરાવશો નહિ. કુંવર તે વાત કબૂલ કરીને મંદિર ગયો, ને ત્યાં મુનિમને બોલાવીને કહ્યું-આ બારે માણસોને મજબૂરીના કામમાં લગાડો; અને તેમની પાસે સવારથી સાંજ સુધી ભારે કામ કરાવો; બાકીના આ બે જણ વૃદ્ધ છે, તેમનાથી મહેનત થઈ શકે તેમ નથી. તેથી તે બંનેને એમ ને એમ બેસી રહેવા દેજો.એ પ્રમાણે હુકમ કરી કુંવર ચાલ્યો ગયો. આ બાજુ મનોવતીએ મુનીમને બોલાવીને ખાનગીમાં બધી હકીકત જણાવી, કે આ તો કુંવરજીના માતા-પિતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86