________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : દર્શનકથા તે વિચારવા લાગ્યો કે અરે, આ જગતમાં લક્ષ્મી અસ્થિર છે, તેનામાં કાંઈ સારપણું નથી. એ લક્ષ્મીને ધિક્કાર છે કે જેની ખાતર મારા બાંધવોએ મને ઘરમાંથી કાઢી મૂક્યો ! હવે એ લક્ષ્મીનો નાશ થતાં તેઓ ભીખ માંગીને ખાય છે. પ૬ કરોડ દીનારમાંથી એક પણ ન રહી.-આમ વિચારી કુંવરે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે તમે ચિન્તા ન કરો, હું હમણાં જ તમને કામમાં લગાવું છું.-આમ કહીને કુંવર મહેલમાં મનોવતી પાસે ગયો. (કુંવર તો પોતાના માતા-પિતાને ઓળખી ગયો છે, પણ માતા-પિતા વગેરે કોઈ એને ઓળખી શક્યું નથી.)
મહેલમાં આવીને કુંવરે મનોવતીને કહ્યું કે માતા-પિતા તથા ભ્રાતા ને ભોજાઈ-એ બધાય અહીં આવ્યાં છે. હવે તેમની પાસે કાંઈ રહ્યું નથી ને ભીખ માગતાં ફરે છે; તેઓએ મને ગર્વથી કાઢી મૂક્યો હતો, હવે મારો વારો આવ્યો છે. તેઓ મારી પાસે મજૂરી કરવા આવ્યાં છે. તો હવે તેમની પાસે ખૂબ મજૂરી કરાવીને મારા અપમાનનો બદલો વાળું.
ત્યારે ખાનદાન નારીએ તેને ઠપકો આપતાં કહ્યું કે અરે, માતા-પિતા માટે આવાં વચન ઉચારો છો-તે તમને શોભતું નથી. જેમની કૂખે તમે અવતર્યા ને જેમણે તમને મોટા કર્યા–એ માતા-પિતાના ઉપકારનો બદલો કરોડો ઉપાયથી પણ વળે તેમ નથી. આપણે આપણાં પૂર્વકર્મના ઉદયથી દુઃખ પામ્યાં, તેમાં બીજાનો શું વાંક? માટે કોઈને દોષ ન દેશો. અને આ બંધુજનો તથા માતા-પિતા સાથે પ્રેમથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com