________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : દર્શનકથા
મનોવતીની એ વાત સાંભળીને તેનો ભાઈ તુરત મહેલની બહાર આવ્યો અને શેઠને કહ્યું : કાંઈ ચિન્તા કરવાનું પ્રયોજન નથી; મારી બહેન ભોળી અને અજાણ છે, તે અહીં ઘણી સંકોચાય છે, માટે તેને જલ્દી મારી સાથે વિદાય કરો; હસ્તિનાપુર આવીને તે ભોજન કરશે.
એ સાંભળીને શેઠે કહ્યું-કુમાર! તમારી એ વાત અમારા માનવામાં આવતી નથી, માટે આ ઘરમાં તેને જે કાંઈ દુઃખ હોય તેનો સાચેસાચો ભેદ મને સમજાવો.
ત્યારે કુંવરે કહ્યું : શેઠજી! સાંભળો. સાચી હકીકત એ છે કે મારી બહેને મુનિવરની સાક્ષીથી એવી દર્શનપ્રતિજ્ઞા લીધી છે કે ગજમોતીનો પૂંજ ચઢાવીને અન્તદેવની પૂજા કરે પછી જ તે ભોજન કરે; અને એ મોતી તો અહીં દેખાતા નથી, એટલે તે ભોજન કઈ રીતે કરે?
કુંવરની એ વાત સાંભળતાંવેંત શેઠ મહેલમાં ગયા, ને વહુને પુત્રીસમાન સમજીને, તેની પ્રશંસાપૂર્વક કહેવા લાગ્યાબેટા! તમારી પ્રતિજ્ઞાની આ વાત મને કેમ ન જણાવી? ને અત્યાર સુધી નકામું દુઃખ શા માટે ભોગવ્યું? આપણા ઘરમાં ગજમોતીનો ક્યાં તૂટો છે!
એમ કહીને તરત ભંડારીને બોલાવ્યા ને ભંડાર ખોલાવ્યા. અનેક પ્રકારનાં મોતીના ઢગલા ત્યાં પડ્યા હતા તેમાંથી જાતજાતનાં ગજમોતીના ઢગ બતાવીને શેઠે મનોવતીને કહ્યું-બેટા, અમારાં મહાન ભાગ્ય છે કે તારા જેવી જિનભક્ત વહુ અમારા કુળમાં આવી. જો, આપણા પુણ્યોદયે આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com