Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૨૩ આ છ પુત્રો ઘરમાં રહે નહિ. આખરે કાગળ હાથમાં લઈને ધ્રુજતા હાથે નાના પુત્ર ઉપર ચિઠ્ઠી લખવા માંડી, પણ હાથ ચાલ્યો નહિ, આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં ને મનમાં ખૂબ વ્યાકુળ થઈ ગયા. આ જોઈને મોટા પુત્રે એ કાગળ પોતાના હાથમાં લઈ લીધો, અને તેમાં લખ્યું કે “હે બુધસેન ! પિતાજીએ તમને હુકમ કર્યો છે કે તમે આ ઘરમાં પગ ન મૂકશો. દૂર દેશ ચાલ્યા જાજો. જો પિતાની આજ્ઞા તોડીને તમે ઘરમાં પગ મૂકો તો તમારા જીવનને ધિક્કાર છે.” એ પ્રમાણે કાગળમાં લખીને, તે ચિઢી દાસીને આપી અને તેને મહેલના દરવાજે બેસાડીને છએ ભાઈઓ દુકાને ગયા.. ને ત્યાંથી નાનાભાઈ બુધસેનને ઘરે મોકલ્યો. [ રે, સ્વાર્થમય સંસાર!! જીવો મોતીના મોહ ખાતર પોતાના સગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થાય છે!!] બુધસેનકુમાર વડીલ ભાઈઓના કહેવાથી તરત ઊઠીને ઘર તરફ ચાલ્યો; તેને આ વાતના રહસ્યની કાંઈ ખબર નથી. જ્યારે તે મહેલના દરવાજે પહોંચ્યો કે તુરત દાસીએ તેને ચિઠ્ઠી બતાવીને કહ્યું : કુંવરજી ! પહેલાં આ ચિઠ્ઠી વાંચો, પછી મહેલમાં પ્રવેશ કરો... એ પિતાજીની આજ્ઞા છે. કુંવરે એ ચિઠ્ઠી વાંચી, ને એમાં પોતાને દેશનિકાલની આજ્ઞા વાંચીને તે વિચારમાં પડી ગયો-અરે, આ શું! જો હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86