Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૨૫ વિશ્રામ કરવા લાગ્યો. સૂતાં સૂતાં કુંવરના મનમાં વિચાર આવે છે કે થોડા જ દિવસ પહેલાં જ્યારે હું વિવાહ માટે અહીં આવ્યો ત્યારે મારી સાથે અનેક ઠાઠમાઠ, વાજાં ને નિશાનડંકા હતાં; અને અત્યારે હું આ રીતે એકલો, વગર તેડાવ્યો જાઉં તો મારા કુટુંબની હાંસી થશે.માટે થોડો વિશ્રામ કરીને હું અહીંથી પાછો ચાલ્યો જઈશ. આ રીતે વિચારીને, પ્રવાસનો થાકેલો બુધસેનકુમાર તે બગીચામાં સૂઈ ગયો. અતિશય થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ. બગીચામાં સૂતેલા તે બુધસેન ઉપર દષ્ટિ પડતા માલણે તરત માળી પાસે જઈને કહ્યું કે બગીચામાં આપણા શેઠના જમાઈ આવ્યા છે ને સૂતા છે. માળીએ તરત શેઠ પાસે જઈને એ સમાચાર કહ્યાં. ત્યારે શેઠે વિચાર્યું કે, એવું તે શું કારણ બન્યું હશે કે કોટયાધિપતિનો આ પુત્ર વગર બોલાવ્યું અહીં સાસરે આવ્યો ! શું ચોર એનું ધન ચોરી ગયા હશે? કે શું રાજાએ એને લૂંટી લીધો હશે? એ વખતે પાસે બેઠેલા બીજા ઝવેરીઓએ કહ્યુંશેઠજી! લક્ષ્મી તો અત્યંત ચંચળ છે, એનો કાંઈ વિશ્વાસ કરવા જેવો નથી; મનુષ્ય ક્ષણમાં રંક બની જાય છે; કર્મોદયવશ આજનો રાજા કાલે ઘરઘર ભીખ માંગે છે. માટે અહીં આવેલા જમાઈને આદરસહિત ઘરે તેડી લાવો અને એને કંઈક ધન આપો જેથી તે વેપાર કરે. એ સાંભળીને શેઠ બગીચામાં પહોંચ્યા. કુંવરને કાંઈ ખબર નથી, એ તો ઊંઘે છે. શેઠે તેને જગાડ્યો ને રથમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86