Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 44
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ : દર્શનકથા ચાલ્યો ગયો. આ તરફ રાજલક્ષ્મી પામીને કુંવર ભોગવિલાસમાં પડી ગયો ને મનોવતી પાસે આવવાનું ભૂલી ગયો. એમ કરતાં ઘણા દિવસ વીતી ગયા ત્યારે એકવાર કુંવર મનોવતી પાસે આવ્યો. સુંદરીએ તેનું સ્વાગત કરતાં કહ્યું-સ્વામી ! સાંભળો ! ઘરમાંથી પિતાજીએ કાઢી મૂક્યા ત્યારે તમે હસ્તિનાપુર આવ્યા, ત્યાંથી તમારા સંગે મેં પણ ઘર છોડ્યું ને આપણે અહીં આવ્યાં; જિનદર્શનપ્રતાપે દેવે સહાય કરી તેથી આજે વૈભવ પામ્યા છો.– આ બધી વાત તમે ભૂલી ગયા; મને બીજી તો ચિન્તા નથી પણ એક વાત તમને ખાસ કહું છું કે જેમ મને ભૂલી ગયા તેમ સુખકર ધર્મને ન ભૂલશો. जैसी मेरी खबर अब, तुम भूले भरतार। तैसे धर्म न भूलियो, सो जानो सुखकार।। जो भूले तो बहु दुःख होय। सो मत भूलो अब तुम सोय।। ધર્મને ભૂલવાથી જીવ સંસારમાં ઘણાં દુઃખ પામે છે, માટે હે સ્વામી! મને તો ભૂલ્યા પણ ધર્મને કદી ન ભૂલશો. સુંદરીની એ વાત સાંભળીને કુમાર લજ્જાથી નીચું જોઈ રહ્યો. થોડીવાર તે કાંઈ બોલી ન શક્યો. પછી કહ્યું-હે દેવી ! મારી ભૂલ માફ કર. ધર્મનો સાચો ઉપકાર છે તે હું કદી નહિ ભૂલું. હવે તારી જે આજ્ઞા હોય તે હું શીધ્ર પૂર્ણ કરું. માટે તારા મનમાં જે ભાવના હોય તે કહે. ત્યારે ઉત્તમ સ્ત્રીએ કહ્યું : સ્વામી ! આ જગતમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86