Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૩૩ પાર નથી... ત્યાં તેને ભાવના જાગી કે અરે, ગજમોતી હોય તો તેના વડે ભગવાનની પૂજા કરું. ત્યાં તો જમણી બાજુ નજર કરતાં ઝગમગ થતા ગજમોતીનો પુંજ દેખ્યો. ગજમોતી હાથમાં લઈને આનંદપૂર્વક તેણે જિનભગવાનની પૂજા કરી ગજમુક્તા ચોખે બહુત અનોખે, લખ નિરદોએ જ ધરું, જિનપૂજ રચાઉં, હર્ષ બઢાઉં, મંગલ ગાઉં, ભક્તિ કરું. મનવચનકાયાની શુદ્ધિપૂર્વક ઘણા ભાવથી પૂજન કર્યું જિનચંદ્રના દર્શન વડે એનું હૃદયકમળ ખીલી ઊઠયું, ને અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગી तुम धन्य जिनेश्वर देव सार, तुमरे दर्शन मो मिले सार। भजभज मांगु मैं जो यहि, जिनराजदर्शन मिले सही।। પ્રભો ! આ જગતમાં... એક આપનું જ શરણ છે; ભવોભવમાં સદાય મને આપનું દર્શન મળ્યા કરો.-આ પ્રમાણે પ્રાર્થના કરીને જ્યાં તે મંદિર બહાર પગ મૂકે છે ત્યાં તો તેના પગ પાસે ઉત્તમ મોતીની એક જોડી દેખી. નર-માદાનાં યુગલ મોતી તેના માટે દેવે ત્યાં રાખ્યા હતાં. તે દેવનિર્મિત રત્નો લઈને મનોવતી જિનભવનની ઉપર આવી ને બગીચામાં બેઠેલા પોતાના પતિને કહ્યું : સ્વામીનાથ! મને સુધા લાગી છે. માટે નગરીમાં જઈને સામગ્રી લાવો. કુમાર સામગ્રી લાવ્યો ને રસોઈ બનાવીને આજે આઠમાં દિવસે મનોવતીએ પારણું કર્યું. આ રીતે મનોવતીને જિનદર્શનનું ઉત્તમ ફળ મળ્યું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86