Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ : દર્શનકથા બેસાડીને મહેલમાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારે આદરપૂર્વક તેને ભાતભાતનાં ભોજન જમાડ્યા તથા ઘરની સ્ત્રીઓને ભલામણ કરી કે તમે એને કાંઈ પૂછશો નહિ, એને અપમાન લાગે એવી કોઈ વાત કરશો નહિ. -પરંતુ સ્ત્રીઓની જાત તો અત્યંત ચંચળ હોય, એ ઘૂસપૂસ કર્યા વગર રહી શકે નહિ. એક સ્ત્રીએ બીજીને કહ્યુંહે સખી! આ કુમાર તેડાવ્યા વગર સાસરે કેમ આવ્યા છેતેની તપાસ કર. ત્યારે તે ચતુર સ્ત્રીએ કહ્યું કે જો આપણે કુંવરને કાંઈ પૂછશું તો શેઠ અતિ ક્રોધિત થશે. માટે એક યુક્તિ કરો.-મનોવતી સુંદરીને એની સાથે મેળાપ કરાવી દો એટલે એ બધી વાત જાણી લેશે; એના મોઢે કુંવર બધી સાચી વાત કહી દેશે; અને શેઠને ખબર પડે તોપણ કાંઈ વાંધો નહિ આવે. રાત્રે કુંવર બુધસેન તથા મનોવતી એ બંને મળ્યાં, ત્યારે સુંદરીએ પ્રેમપૂર્વક અહીં આવવાનું કારણ પૂછયું. ત્યારે કુંવરે કહ્યું કે છ ભાઈઓ કમાય છે ને હું કમાતો નથી તેથી મને ઘરમાંથી રજા આપી દીધી છે; હવે હું પરદેશ કમાવા જાઉં છું તેથી તને ખબર આપવા માટે આવ્યો છું. હે દેવી! તું ચિન્તા કરીશ નહિ, થોડા જ દિવસમાં હું પાછો આવી જઈશ. ત્યારે સુંદરીએ કહ્યું: હે સ્વામીનાથ! મારી વિનંતી સાંભળો. તમે રંગમહેલમાં રહેનારા ને સુકોમળ શૈયામાં સૂનારા, તડકો દેખતાં પણ વદન કરમાઈ જાય એવું કોમળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86