Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ : દર્શનકથા પિતાજીની આજ્ઞા ન પાળું તો મારા જીવનને ધિક્કાર છે. આમ વિચારી એ નાનો કુંવર તુરત ત્યાંથી પાછો વળ્યો ને નગર બહાર ચાલ્યો ગયો. ત્યાં જઈને પ્રથમ તો પંચપરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કરીને, સંસારનું સ્વરૂપ ચિંતવવા લાગ્યો કે અરે, આ જગતમાં લક્ષ્મીના મોહને ધિકાર છે! મારા છે ભાઈઓ કમાઉ છે ને મને લક્ષ્મીનો ભાગ આપવો પડે તેથી દેશનિકાલ કર્યો છે. અરે, સંસાર કેવો સ્વાર્થમય છે !! હવે હું પણ પરદેશ જઈને ધન કમાઈ લાવું ને સુખથી રહું. આ પ્રમાણે વિચાર કરતાં કુંવરને પોતાની સ્ત્રી યાદ આવી; એ શીલવતી સ્ત્રી ધર્મના ઉત્તમ સંસ્કારવાળી છે, જો મને ઘરમાંથી કાઢી મૂક્યાની વાત તે સાંભળશે ને મને ક્યાંય નહિ દેખે તો જરૂર તેના પ્રાણ છૂટી જશે. માટે પહેલાં હસ્તિનાપુર જઈને તેને બધો હાલ જણાવી દઉં, અને પછી પરદેશ જાઉં. આમ નક્કી કરીને કુંવર હસ્તિનાપુર તરફ ચાલ્યો. કુંવર બુધસેન એકલો હસ્તિનાપુરના પંથે ચાલ્યો જાય છે; તાપથી એનું સુકોમળ મુખ કરમાઈ રહ્યું છે, ઝાડવે-ઝાડવે એ થાક ખાતો જાય છે; રંગમહેલમાં સૂનારો ને હાથી પર સવારી કરનારી કુમાર આજે એકલો પૈદલ ચાલ્યો જાય છે.... દેખો કર્મની ગતિ !! એને કોણ મટાડી શકે!! હસ્તિનાપુરમાં વલ્લભીપુરથી ચાલતાં ચાલતાં કુમાર થોડા દિવસે હસ્તિનાપુર પહોંચ્યો, અને ત્યાં સસરાના બગીચામાં જઈને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86