________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : દર્શનકથા
શેઠજીની આજ્ઞા પ્રમાણે પરિવારમાં બધાએ ભોજન છોડી દીધું, કોઈએ ભોજન ન કર્યું.-એ રીતે ત્રીજો દિવસ પણ વીતી ગયો.
આખો પરિવાર એક દિવસ ભોજન વગરનો રહ્યો, છતાં મનોવતીએ ભોજન ન કર્યું, પરિવાર ઉપર મહા સંકટ આવી પડયું. ચોથો દિવસ આવ્યો, ત્યારે મનોવતીના પિતાને આ બાબતમાં ખબર મોકલ્યા. એ ખબર સાંભળતાવેંત જ હસ્તિનાપુરથી શેઠે પોતાના પુત્રને ખબર કાઢવા મોકલ્યો.
મનોવતીનો ભાઈ આવી પહોંચતાં જ શેઠ-શેઠાણીએ તેને કહ્યું કે અમારી વાત સાંભળો; તમારા આદર-સત્કારની વિધિ પછી કરશું, પહેલાં તો તમને એક વાત પૂછી લઈએ: તમારી બહેન અહીં આવી ત્યારથી તેણે ભોજન છોડી દીધું છે, ત્રણ દિવસ વીતી ગયા છતાં તેણે ભોજન લીધું નથી, તો તમારી બહેનના હાલ જાણો, અને ભોજન ન કરવાનું કારણ શું છે તે અમને સમજાવો.
એ સાંભળીને ભાઈ તરત જ પોતાની બહેન પાસે ગયો અને નમ્રતાપૂર્વક પોતાની બહેનને પૂછવા લાગ્યો–બહેની ! શા માટે તે મૌન લીધું છે? ને શા માટે ભોજન છોડ્યું છે? લગ્નના આવા આનંદમાં આ સંકટ કેમ ઊભું થયું? તે કહે. ત્યારે મનોવતી પોતાના ભાઈને શું કહે છે?
-: હરિગીત :सुन्दरी तासों तबै बोली, भ्रात अब सुन लीजिये। जिनदर्शकी मैं ली प्रतिज्ञा , मुनिराज कि साक्षी लिये।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com