________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : દર્શનકથા
v"
}
હવે અહીં જ્યારે માલણે નાની રાણીને હાર પહેરાવ્યો ત્યારે મોટી રાણીના મહેલની દાસી પણ ત્યાં હતી; તેણે તે હાર જોયો, ને મોટી રાણી પાસે જઈને કહેવા લાગી કે હે મહાદેવી! મહારાજ તમારા ઉપર અપ્રસન્ન થયા લાગે છે, મેં નાની રાણીના મહેલે એ નજરે જોયું; બીજાની તો શી વાત, માલણ જેવી બાઈ પણ તમને અવગણે છે; તે ગજમોતીનો હાર નાની રાણીને આપે છે પણ તમને આપતી નથી. અરે, ખેદ છે કે તમારું આવું અપમાન થયું.
દાસીની વાત સાંભળીને મહારાણી મનમાં એકદમ ક્રોધિત થઈ ગઈ, તેણે અન્નજળ છોડી દીધું ને મોટું પણ ધોયું નહિ. જ્યારે બપોર થઈ ને મહારાજા ભોજન માટે મહેલમાં આવ્યા ત્યારે દાસીએ હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, સાંભળો ! મહારાણી નારાજ થયા છે ને તેમણે અન્ન-પાણી છોડી દીધાં છે, મુખ પણ ધોયું નથી ને બહુ જ રુદન કરે છે.
એ સાંભળતા રાજા તરત મહેલમાં પહોંચ્યો ને રાણીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com