Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૧૭ ગજમોતી ચઢાવ્યાં? એમ વિચારી માલણે તે બધાં મોતી લઈ લીધાં ને ઘરે આવીને માળીને બતાવ્યાં. આવાં કિંમતી મોતી જોઈને માળીએ કહ્યું. આ તો બહુ કિંમતી ગજમોતી છે, લોકમાં તેની ઘણી પ્રસિદ્ધિ છે; રાજાને ખબર પડશે તો તે આપણી પાસેથી છીનવી લેશે ને ઊલટાં આપણને ચોર ગણશે. માટે આ મોતી આપણા ઘરમાં રાખવા ઠીક નથી. માટે હું માલણ! તું એમ કર કે જેથી આપણને કંઈક ધન મળે. બગીચામાંથી ચંપા-ચમેલીનાં ઉત્તમ ફૂલ લાવીને આ ગજમોતી સાથે તેને ગૂંથીને એક સુંદર હારની રચના કર અને મહારાણીની ડોકમાં તે પહેરાવ, જેથી રાણી પ્રસન્ન થઈને ઈનામ આપશે. બીજા વિચાર છોડીને આ કામ શીઘ્ર કર. એ વાત સાંભળીને માલણ બગીચામાં ગઈ, ને ચમેલી વગેરેનાં ફૂલ લાવી તેમાં કળીએ-કળીએ ગજમોતી પરોવીને સુંદર હાર તૈયાર કર્યો; તે હાર લઈને રાણીવાસમાં ગઈ. ત્યાં દરવાજે પહોંચતાં તેને વિચાર આવ્યો કે રાજાને બે રાણી છે તેમાંથી કોને આ હાર પહેરાવું? નાની રાણીને પહેરાવું કે મોટી રાણીને ?-નાની રાણીને પહેરાવું-કે જેથી વધુ ઈનામ મળે ! આમ વિચારીને તે નાની રાણીના મહેલે ગઈ ને તેના કંઠમાં હાર પહેરાવ્યો. રાણી તે હાર દેખીને ઘણી પ્રફુલ્લિત થઈ ને તેને ઘણું ઈનામ આપ્યું. માલણ તે ઈનામ લઈને ઘે૨ ગઈ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86