Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ : દર્શનકથા મંદિરે જઈને નવદંપતીએ જિનેન્દ્રદેવને નમસ્કાર કર્યા, તથા અષ્ટવિધ પૂજા કરી. પછી નવવધૂ ઘરે આવતાં સ્ત્રીઓએ મંગલગીત ગાયા. યાચકજનોને ખૂબ દાન દીધું અને સજ્જનોનું સન્માન કર્યું. આ રીતે બુધસેન સાથે મનોવતીના વિવાહ થઈ ગયા. ત્યાર પછી કથા આગળ વધતાં શું બન્યું? તે સાંભળો. દર્શન-પ્રતિજ્ઞાનું પાલન પુત્રના લગ્નની ખુશાલીમાં સોમદત્ત શેઠ નગરમાં નોતરું ફેરવ્યું ને સર્વે સાધર્મીઓને જમવા નિમંત્ર્યાં. નગરજનો તથા કુટુંબપરિવાર ઉત્તમ પસ ભોજન જમી રહ્યા, છેલ્લે ઘરની સ્ત્રીઓ બાકી રહી. ત્યારે સાસુએ આવીને મનોવતીને ભોજન માટે બોલાવતાં કહ્યું : વહુ બેટા! ચાલો, ભોજન કરી લ્યો, ને બધાંનાં મનને આનંદિત કરો. ત્યારે મનોવતી મનમાં વિચારે છે કે મેં તો સુખકાર એવી જિનદર્શનપ્રતિજ્ઞા લીધી છે सुंदरी मनमें करत विचार, दर्शनप्रतिज्ञा लई सुखकार। गजमोतीके पुंज चढाय, तबही भोजन करुं बनाय।। જિનેન્દ્ર ભગવાનના દર્શન કરીને ગજમોતી (અર્થાત બહુમૂલ્ય મોતી) વડે પૂજન કરું પછી જ ભોજન કર્યું. ગજમોતી ચઢાવ્યા વગર ભોજન કરું તો તો પ્રતિજ્ઞાભંગ થાય; એ તો ઠીક ન કહેવાય. અને અહીં ગજમોતી નજરે પડતાં નથી; એ મંગાય તો કેમ ? આમ વિચારીને મનોવતીએ મૌન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86