________________
પ્રાસંગિક નિવેદન. જેનો નીરાગ ઈશ્વર (વીતરાગ)ના ઉપાસક છે. એમનું મુખ્ય ધ્યેય મોક્ષ છે અને મોક્ષાભિલાષી ખરા જેને રાગ દ્વેષાદિ દેષરહિત શ્રીજિનેશ્વર (અહંન) શિવાય અન્ય દેવની કદિ પણ ઉપાસના કરે નહી. તથાપિ જેઓ તેટલી હદે પહોંચ્યા નથી એવા ઐહિક સુખના અભિલાષી ભવાભિનંદી ઇને પણ સ્વાર્થ સાથે પરમાર્થ સધાય તેવા હેતુથી ભયાપહારક, રોગપશામક, સંપદ્ વિજ્યાદિપ્રાપક અને સર્વ મનોકામનાદાયક અનેક યંત્ર, મંત્રોની પણ પૂર્વાચાર્યોએ પેજના કરેલી છે. વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાં એવા અનેક વિધાને હતા એમ કહેવાય છે. હાલમાં પણ નમસ્કાર મંત્રકલ્પ, શકસ્તવ (
નત્થણું) કલ્પ, લોગસ્સકલ્પ, સૂરિમંત્ર કલ્પ, વર્ધમાન વિદ્યાકલ્પ, ચિતામણકલ્પ, જવાલામાલિની કલ્પ, પ્રત્યગિરાકલ્પ, અંબિકાકપ, ભૈરવપદ્માવતીક૫, હતકારકલ્પ, ઘંટાકર્ણ મંત્રકલ્પ તેમજ અંગવિદ્યા વગેરે અનેક ગ્રંથ દષ્ટિગોચર થાય છે.
૧ કલ્પ એટલે શાસ્ત્ર તે અનેક જાતના હોય છે, ૧ તીર્થક૯૫, ૨ વનસ્પતિ (ઔષધિ) કલ્પ, ૩ મંત્રમંત્રાદિ ક૯પ અને મણિકલ્પ વિગેરે. : - ૨ શ્રીચંદ્રપ્રભ તિર્થેશ્વરની શાસન દેવતા સર્વાત્રા મહાજવાળા.
૩ આ કલ્પને કેટલાક વિદ્વાન બદ્ધરચિત માને છે, પરંતુ ચાદમી શતાબ્દીમાં થયેલા શ્રીજિનપ્રભસૂરિના કથનાનુસાર શ્રી પર્વત ઉપર ઘંટાકર્ણ સંજ્ઞક શ્રી મહાવીર હતા (જુઓ સિંધી જૈનગ્રંથમાળા તરફથી પ્રકટ થયેલા તીર્થકલ્પમાં ૪૫ મો ચતુરશીતિ મહા તીર્થ નામ સંગ્રહ કલ્પ) તેમની સ્તુતિરૂપ આ સ્તોત્ર સંભવે.
૪ પ્રેસમાં..