________________
તુગરિ ૩]
પ્રસ્તાવના.
જે કાંઈ કરિએ તે કેવળ ધર્મને માટે જ. આવાં નિરીહ વચને સાંભધાને રાજાએ સાંકળથી બાંધી અંધારી કોટડીમાં પૂરી દેવા સેવકેને આજ્ઞા આપી અને તરત તેનો અમલ થયો (અન્ય ગ્રંથકારોના મતે સ્વેચ્છાથી પૂરાયા હતા), પણ આચાર્યો ત્યાં જ પિતાના ઈષ્ટદેવ શ્રી આદિનાથની મમત આ વાકયથી શરૂ થતા સ્તોત્રથી સ્તવના કરી પિતે બંધન અને કેદમાંથી છુટી રાજાને જઈને મળ્યા. આચાર્યની અદ્દભુત શક્તિ જોઈ રાજા પ્રસન્ન થયા અને તે જ સમયથી જૈનધર્મ તથા જૈન સાધુઓને ભક્ત બને.
એમની કૃતિ–૧ ભક્તામર સ્તોત્ર,૨૧ ૨ ભયહર-નમિઉણસ્તવ ૩ ભત્તિબ્બર–પંચપરમેષ્ઠિસ્તવ સુપ્રસિદ્ધ છે. મણિકલ્પના૨ રચપિતા એ જ છે કે અન્ય તે શંકાસ્પદ છે. સત્તરમા સૈકાની દિગંબરીય પટ્ટાવલીમાં ૧ ચિંતામણિકલ્પ, ૨ મણિકલ્પ, ૩ ચારિત્રસાર, ૪ ઉવસગ્ગહર સ્તોત્ર ૫ ભકતામર સ્તોત્ર એમ પાંચ ગ્રંથના રચયિતા જણાવેલ છે. - શ્રીહર્ષને રાજવકાળ વિ. સં. ૬૬૩ થી ૭૦૪ અને કર્નલટાડના લખવા પ્રમાણે વૃદ્ધ ભજનો સમય પણ વિક્રમને સાતમે સંકે (સં. ૬૩૧) છે એટલે આ આચાર્યને પણ તે જ સમય સંભવે છે. તથા એમની દિગંબરાવસ્થાના “ ગુરૂના ચારૂકીર્તિ અને એમના પિતાના મહાકાર્તિ” આ નામ ઉપરથી પણ એઓ છઠ્ઠી સાતમી
૨૧. જુઓ મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી. . ૩૫-૩૬-૩૭, તથા દેવવિમળગણિ વિરચિત હીરસૌભાગ્યે (સ. ૪, પૃ. ૧૬૪). ૭૫ થી ૭૮.
૨૨ આનું બીજુ નામ રત્નપરીક્ષા છે. લગભગ ૨૨૫ શ્લેક પ્રમાણે છે. અંત્ય પદ્ય નીચે મુજબ છે – गुणेषु रागः सुकृतेषु लाभः, रोषश्च दोषश्च भवश्व कामः । श्रीमानतुङ्गस्य तथापि धर्मः, श्रीवीतरागस्य स एव वे ति॥