________________
૭૬
~~~
નૈનસ્તવનોદ [ ૨૩ ઉદય
ર૩ ઉદયધર્મ આ મહાત્મા બૃહતતપાગચ્છીય ૧૬ રત્નાકરસૂરિની પર પરામાં સમુદ્રકારિ અભયસિંહસૂરિ ૧૭–જયતિલકસૂરિ ૧૮–
૧૧૬ આ આચાર્ય નામ પ્રમાણે ગુણવાળા હતા અને એમના નામથી તપગણ રત્નાકરગચ્છથી ખ્યાતિ પામે, સ્તંભતીર્થવાસી વ્યવહારી શાહ શાણરાજે ગિરનાર પર વિમળનાથ પ્રાસાદ બંધાવ્યું તેમાં આપેલી પ્રશસ્તિમાં જણાવ્યું છે કે તેમની પાસેથી ધર્મપ્રાપ્તિ કરી પૃથ્વીધરે (પેથડે) ૯૨ વિહાર બંધાવ્યા, તથા સિદ્ધાચલ પર હેમકળશવાળું ઋષભનાથ મંદિર બંધાવ્યું. ગિરનાર પર હેમમય ધ્વજા ચઢાવી. સમરાશાહે કરાવેલી શત્રુંજયના મૂલનાયક ઋષભદેવની પ્રતિમાની આ આચાર્ય સં. ૧૩૭૧માં પ્રતિષ્ઠા કરી હતી. એમના પછી રત્નપ્રભ–મુનિશેખર–ધર્મદિવસૂરિ-જ્ઞાનચંદ્ર આચાર્યો થયા.
૧૧૭ ગિરનાર પ્રશસ્તિના આધારે ઉપરોક્ત જ્ઞાનચંદ્રસૂરિની પાટે આ આચાર્ય આવ્યા હતા. પરંતુ પટ્ટાવલીઓના કથન પ્રમાણે ધર્મદેવસૂરિની પાટે આ આચાર્યું છે. એમણે મહાવીર તપ કર્યું હતું. કહ્યું છે કે –
अभूचरमतीर्थकृतः समस्तमास्वत्तपाः। ततस्तपमहोदयस्त्वभयसिंहसरिर्गुरुः ।।
આચાર્યપદ લીધા પછી છએ વિકૃતિઓને તેઓએ ત્યજી હતી, વળી પચપચાશત્ આચાર્મ્સ (આંબિલ) તપ નિરંતર ત્રીજે વારે કરતા હતા. અને દુઃસાધ્ય એવું અંગવિદ્યાનું પુસ્તક અર્થસહિત સારી રીતે વાંચ્યું હતું. પટ્ટાવલીઓમાં કઈ સ્થળેથી ઉધૃત કડીઓ નીચે મુજબ દૃષ્ટિગોચર થાય છે –
આબુ તારણ ગઢ ગિરિહિં, છઠ્ઠ કિયા ઇગવીસ, વિમળાચલિ સિત્તરિ કિયા, રેવઈ ગિરિ અડવીસ. ૧