________________
“શ્રીધરણેન્દ્ર સ્તોત્ર
૨૯૭
કરી, પવિત્ર થઈ શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરી, પિતાની શક્તિ અનુસાર બલિ વગેરે મૂકીને પરમેષ્ઠિસ્તવના અક્ષરેથી આત્મરક્ષા કરીએ. ૧ નાભિ, ૨ મુખ, ૩ નેત્ર, ૪ મસ્તક અને ૫ દિશાઓમાં કાર યુક્ત શ્રી પાર્શ્વનાથનો ન્યાસ કરો. પછી ૨૮ અંશથી માતંગિની વિદા લખીએ. તેને ૧૦૦૮ જાઈના ફૂલથી જપિએ, પછી પાર્શ્વપ્રભુને તથા સાધુઓને ભક્તિભાવથી પૂજિ વંદન નમસ્કાર કરી યંત્રને ભુજાએ ધારણ કરવાથી સિદ્ધ થાય. આ યંત્ર સિદ્ધ થયે થકે શાંતિના અભિલાષિઓને શાંતિ આપનાર, પુષ્ટિના અભિલાષિઓને પુષ્ટિનો દેનાર, ધનની આકાંક્ષાવાળાઓને ધન આપનાર, પુત્રની પ્રાપ્તિ માટે ઝંખનારાએને પુત્ર આપનાર છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી આ યંત્ર સર્વ સૌભાગ્યને દેનાર, દરેક ઉપદ્રનો નાશ કરનાર અને સર્વ પાપનો નાશ કરનાર થાય છે. યંત્ર. ૨૫–પ્રતમાં વિધિ નથી. યંત્ર, ૨૬–
નાગેના હૃદય સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને કાળાદિ ભેદાનુસાર પુષ્પ, દીપ, વિલેપનાદિથી પૂજન કરીને વિચિત્ર પ્રકારના ૧૦૮ પુષ્પથી જાપ કરીયે, સિદ્ધ થએલો મંત્ર ગરૂડની પેઠે વિષને નાશ કરે છે. [ તે પુરુષ ] દરેક નાગ જાતિ સાથે ક્રીડા કરી શકે છે. સર્વ પ્રાણી
ના ભયને દૂર કરે છે. - જે માણસ કમળપત્ર પર રહેલા નાગને ધારણ કરે છે, તેને શાકિનીનો ભય થાય નહિ અને દાહજવર વગેરેની શાનિ થાય. યંત્ર, ર૭–
8 પાર્શ્વનાથ હું સ્વાહા ! આ મંત્રના હુંકારને નાગાત્મક જલ વડે હાથ ઉપર વિન્યાસ કરવાથી વિષનો નાશ કરે.
(સ્નાન કરી) પવિત્ર થઈ, પુષ્પ, ધૂપ, વિલેપનાદિવડે શ્રી પાર્શ્વ નાથની પૂજા કરી તેમના સન્મુખ % હૈં. સાહા 6 રુર ૩