________________
જૈન સ્તોત્રનોદ
[૨૩ શ્રી ઉદય
સ્તોત્ર સમુચ્ચય. નિ. સા.) આદિજિનસ્તવન–ચિત્રકાવ્ય. કાવ્ય ર૪, અને આ વિભાગમાં મુદ્રિત જિરાપલ્લી મંડન પાર્શ્વજિનસ્તવન વગેરે.
આ નામની બીજી પણ વ્યકિતઓ થઈ છે તે આ પ્રમાણે
૧ બ. ત. રત્નાકર પક્ષના જ્ઞાનસાગરસૂરિશિષ્ય અને સં. ૧૫રપમાં મંગળકળશ રાસના રચયિતા મંગળધર્મના ગુરૂ
૨. સ. ૧૫૪૩માં મલયસુંદરી રાસ તથા સં. ૧૫૫માં કથા બત્રીસીના કર્તા. આગમગીય (મતિ) મુનિસાગર શિષ્ય.
૩ તપાગચ્છીય લાવણ્યધર્મના શિષ્ય–જેમણે સં. ૧૬૦૫માં વિજયદાનસૂરિ રાજ્ય ઉપદેશમાળાની ૫૧મી પ્રાકૃત ગાથા (તત્તરમૂઢ)િના ૧૦૦ અર્થ કરી શતાથી રચી. (કા. વડે, હાલા. પાટણ),
એમની શિષ્ય પરંપરાને અંગે પણ કંઈ માહિતી મળી નથી. કેટલાક ગુરૂબંધુઓની હકીકત મળે છે. તે અહિં રજુ કરું છું
૧ ચારિત્રસુંદર–એમણે સં. ૧૪૮૪(૭)માં સ્તંભતીર્થ-ખંભાતમાં શીલદૂતકાવ્ય (બુહુ ૨ નં. ૩૧૬, પ્ર. ય. ગ્રં. નં. ૧૮), ૧૮–બુ. ૧, સં. ૧૪૮૧-૮૬-૮૮–૧૫૦૩-૦૭-૦૯-૧૦–૧૧–૧૩૧૬-૧૭ બુ. ૨.
સુલતાન અહમ્મદશાહે સં. ૧૫૦૯ માઘ સુદી ૫ દિને આ આચાર્યના પગની પૂજા કરી હતી. કહેવાય છે કે–“રત્નસિંહસૂરિ ૧૬ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરતા હતા, તે સમયે અહમ્મદ બાદશાહે અહમ્મદનગર વસાવ્યું, તેને પત્થરનો દુર્ગ બંધાવ્યો, તે દુર્ગમાં ૬૪ કેષ્ટક (કાઠા) કર્યા હતા. તેમાં ૬૪ જોગણીને નિવેશ થયો. રાત્રે સુરત્રાણ પલંગ પરથી ભૂમિ પર પડત. આથી સુલતાનના વચનથી બધા જૈન દર્શનીઓને દેશ બહાર ક્ય, અહિં રાજનગર–અમદાવાદમાં શેઠ શ્રીમાલી ભાઈઓ વ્યવહારી રત્ના ફતા નામના રત્નસિંહસૂરિના ભક્ત રહેતા હતા. તે સમયે સુરત્રાણે સર્વ અન્ય દાર્શનીકાને બેલાવી પુછયું કે યોગિનીને ઉપદ્રવ નિવારનાર કઈ છે ?