________________
કળાણિ ]
૩પ
પ્રસ્તાવના.
૧૧ પૂર્ણ કળશગણિ
આ મહર્ષિ અત્યંત વિદ્વાન હતા. અત્યારે ઉપલબ્ધ થતી એમની એક એજ કૃતિ વિદ્વાનેાને મુગ્ધ બનાવે છે. પરંતુ અસાસની વાત છે કે એમના જીવન પ્રસંગ સંબંધી કંઈ પણ વિશેષ ખાના પ્રાપ્ત થતી નથી તેથી વતન, માતા, પિતા, જ્ઞાતિ, દીક્ષા, અને અવસાન વગેરેની જિજ્ઞાસા મનમાં જ સમાવી દેવી પડે છે. માત્ર એએ ઉપરાક્ત જિનેશ્વરસૂરિના શિષ્ય હતા, શ્રીજિનરત્નાચાર્ય પાસે ભણ્યા હતા. અને ચૌદમી શતાબ્દીને વિભૂષિત કરતા હતા એટલી જ હકીકત મળે છે.
પ્રસ્તુત વિભાગમાં આપેલ મંત્રયંત્રાદિગર્ભિત સ્ત ંભન પાર્શ્વનાથ સ્તોત્ર ઉપરાંત એમણે સ. ૧૩૦૭ માં શ્રી હેમચંદ્રાચાર્ય કૃત પ્રાકૃત હ્રયાશ્રયકાવ્યની વૃત્તિ રચી છે. જે એમના જ ગુરૂબંધુ લક્ષ્મીતિલકે સંશાધન કરેલી છે, (સં. શંકર પાંડુર ંગ પડિત. પ્ર૦ મુંબઈ સસ્કૃત સિરીઝ સને ૧૯૦૦).
એમના ગુરૂએ ધણા હતા અને સમર્થ વિદ્વાન હતા તે પૈકી કેટલાક ને- પરિચય નીચે મુજબ—
૧ વીરકળશ—એમણે સ. ૧૨૯૫માં આવશ્યકવૃત્તિ ( કાં, છાણી ), અને સ. ૧૨૯૬ માં ઉપદેશક દીવૃત્તિ પુસ્તકની તાડપત્ર ઉપર પ્રતા લખાવી. ( પી. ૫, ૪૨ ).
૨ કનકચંદ્ર—સુમતિણિએ રચેલી ગણધરસા શતક બૃહદ્વ્રુત્તિ ના પ્રથમાદ એમણે લખ્યા હતા. ( જેસ. ૩૯. જે. પ્ર. ૫૦; ભાં. રી. ૧૮૮૨-૮૩ પૃ. ૪૮ ).
૩ કુમારકવિ—સ. ૧૩૧૨માં ચંદ્રતિલક ઉપાધ્યાયે રચેલા અભય કુમારચરિત્રની પ્રશસ્તિ એમણે રચી છે ( પ્ર. વીજાપુર વૃત્તાંત, ).
સ. ૧૦૯૫ માં ધનેશ્વરસૂરિએ રચેલા સુરસુંદરી કહા નામના ગ્રંથ (પ્ર. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળા)ની પ્રશસ્તિમાં આની અત્યંત પ્રશ ંસા કરી છે.