________________
Au
પ્રભસૂરિ]
પ્રસ્તાવના ગુણથી આકર્ષાયેલા શાહે સં. ૧૩૮૫ના પિષ સુદિ બીજે સંધ્યા સમયે ગુરૂને પ્રથમ સમાગમ કર્યો. અર્ધરાત્રી સુધી ધર્મગોષ્ઠી ચાલી. સંતુષ્ટ થએલા શાહે પ્રભાતે બેલાવીને હજાર ગાયે, ૧૦૦ વસ્ત્ર, ૧૦૦ કંબલ, પ્રધાન બાગ, પુષ્કળ દ્રવ્ય અને અગર, ચંદન કર્પરાદિ સુગંધી દ્રવ્ય આપવા માંડયા, પરંતુ સાધુઓને એ ન કલ્પે એમા કહી આચાર્યે નિષેધ્યા અને રાજાને અપ્રીતિ ન થાય એવા હેતુથી ઉપગ પુરતાં કંબલાદિ ગ્રહણ કર્યા. પછી નાના દેશના વિદ્વાન વાદિઓ સાથે વાદ કરાવીને બે હાથી મંગાવી એક ઉપર ગુરૂ અને બીજા ઉપર શ્રીજિનદેવાચાર્યને બેસારી મહોત્સવ પૂર્વક પૌષધ શાળામાં પ્રવેશ કરાવ્યું. પાતશાહે સર્વ ભવેતાંબરીય દર્શનના ઉપદ્રવના નિવારણાર્થે ફરમાન પત્ર આપે. અન્યદા ગુરૂએ શત્રુંજય, ગિરનાર, લેધી વગેરે તીર્થોનાં રક્ષણ માટે ફરમાન માંગ્યા. શાહે સાદર આપ્યાં એટલે તે તે તીર્થોમાં મેલાવી આપ્યાં અનેક બંદી મુકાવ્યા.
પાતશાહના ફરમાન બતાવી શાહ પેથડ, શાહ સહજા, ઠ. અચળે કરાવેલા ચૈત્યોનો તુરકથી થતો ભંગ અટકાવીને જિનશાસનની પ્રભાવિના કરતા, મુનિઓને સિદ્ધાંતની વાચના આપતા, તપસ્વીઓને અંગ ઉપાંગના ગોહન કરાવતા, શિષ્યોને તેમજ અન્ય ગચ્છના મુનિએને પણ પ્રમાણ, વ્યાકરણ, કાવ્ય, નાટક, અલંકારના શાસ્ત્ર શીખવતા અને ઉદ્દભટ વાદિઓના ગર્વને ગાળતા આ આચાર્ય કંઈક અધિક ત્રણ વર્ષ સુધી દેલતાબાદ તરફ વિચરતા રહ્યા. તે પ્રસંગે સં. ૧૩૮૫માં અલ્લવિયવંશમાં જન્મેલા ઘરપરિ નામના આસીનગરના શિકદારે કંટાવાસ સ્થળ ભાંગી સાધુઓને અને શ્રાવકેને બંદીવાન બનાવ્યા, પાર્શ્વનાથની પાષાણમય પ્રતિમાને ભંગ કર્યો. અને
મહાવીર પ્રભુની પ્રતિમાને કંઈ પણ નુકશાન કર્યા સિવાય ગાડામાં ઘાવી દિલ્હી લાવીને તુગલકાબાદમાં સ્થાપેલા સુરત્રાણના ભંડારમાં
૭૮. આ પ્રતિમા ચેલદેશના કન્નાનય નગરમાં વિક્રમપુર (વીકાનેર)ના રહેવાસી જિનપતિસૂરિના કાકા શ્રેષ્ઠી માનદેવે કરાવેલી અને