________________
પ્રસ્તાવના.
यत्र तत्र समये यथा तथा योऽसिसोऽस्यलिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवानेक एक भमक्न् ! नमोऽस्तु ते ॥
–શ્રી હેમચંદ્રાચાર્ય. અનેક જૈન મહાત્માઓની અપ્રતિમ પ્રતિભારૂપ સૂક્તાસમૂહમાંથી વેરાએલાં અને જૈનસાહિત્યરૂપ વિશાળ મહાસાગરના ઉદરમાં સંતાએલાં ૧૧૦ અપૂર્વ તેત્ર મૌક્તિકને સંગ્રહ કરી, યોગ્ય સંસ્કાર આપી, અને યથાસ્થાને સંયોજી ઈ. સ. ૧૯૩૨માં જૈન તેત્ર સંદેહના પ્રથમ વિભાગ તરીકે અમેએ અર્ધહારની ભેટ ધરી હતી. જેનો એતદેશીય તેમજ પાશ્ચાત્ય સાક્ષરોએ સાભાર સ્વીકાર કરી અમારા આનંદમાં વધારો કર્યો હતો. તેથી તેના સમાનકેટીના બલકે તેથી પણ વિશેષ કિમતી અન્ય સ્તોત્રરત્નોથી પરિપૂર્ણ આ તેને દ્વિતીય વિભાગ આજે પુનઃ સાદર ભેટ કરવામાં આવે છે. આશા છે કે એને પણ વિદ્વાનો હૃદયપટ પર સ્થાન આપી પિતાના આત્માને જરૂર અલંકૃત બનાવશે. " પ્રસ્તુત વિભાગમાં માત્ર જેનોના ત્રેવીસમા તીર્થંકર પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથને લગતાં મંત્રમંત્રાદિગર્ભિત તેમજ યમકશ્લેષાઘલંકત ૬૪ સ્તોત્રો આપવામાં આવેલ છે. જેમાંથી કેટલાંકના કર્તાઓનો તે નામ સરખો પણ ઉલ્લેખ મળી શકતા નથી, અને કેટલાક આચાર્યોની એકથી વધુ કૃતિઓ અને સંગ્રહિત કરેલી હેવાથી કર્તાના નામની સંખ્યા ૪૦ની થાય છે. તે આ પ્રમાણે ( ૧ શ્રીભદ્રબાહસ્વામી, ૨ શ્રીમાનતુંગસૂરિ, ૩ ધર્મષસરિ, ૪ સુશ્રાવક શિવનાગ, ૫ મહાકવિ બિહણ, ૬ પાWદેવગણિ, ૭ સાગ