________________
સામાચિક, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરો: આત્મશુદ્ધિ, સમભાવની પ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિને માટે સવારના પહોરમાં હંમેશાં પ્રતિક્રમણ, સામાયિક અને સ્વાધ્યાય વગેરે અવશ્ય કરવો અને ત્યારબાદ આનંદ અને ઉલ્લાસપૂર્વક “મંાત્રે ભવાન વીર'' સ્તુતિ પાઠ કરવો આવશ્યક છે. ખરાબ સ્વપ્નોના અશુભ ફલથી બચવાના ઉપાયઃ
જેઓ નિત્ય પ્રતિક્રમણ ન કરતાં હોય તેઓ પણ જો અશુભ સ્વપ્નને જુએ તો તેના અશુભ ફલથી બચવા માટે જરૂર કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) કરવો. .
સૂર્યોદયના પહેલાં ચૌદ નિયમો ધારણ કરવા અને નવકારશી આદિનું પચ્ચખાણ કરવું જોઈએ. તીર્થવરૂપ માતા-પિતાને વંદનઃ
અત્યંત ઉપકારી, તીર્થસ્વરૂપ એવા માતા-પિતા તથા વડિલોને સવારે પ્રણામ કરી તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત કરો. વિનયથી પ્રસન્ન થયેલ માતા-પિતા આદિના આશીર્વાદથી જીવન ઉન્નત અને ધન્ય બને છે. એક કવિએ કહ્યું છે કે –
અડસઠ તીરથ એના ચરણોમાં, અડસઠ તીરથ સાર. દર્પણમાં મુખ દર્શનઃ
તિલક કરવાના ઉદ્દેશથી અને કાળજ્ઞાન માટે મનુષ્ય પોતાનું મુખ દર્પણમાં જોવું. પ્રભુદર્શન, વંદન, પૂજન નિત્ય કરોઃ
અનંત ઉપકારી એવા શ્રી અરિહંત પરમાત્માના દર્શન વંદન અને પૂજન શ્રાવકે અવશ્ય કરવાં જોઇએ. દર્શનથી પોતાના સમ્યગ્દર્શનને નિર્મલ કરો. વળી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કરી, પ્રભુ
(૪)