Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 58
________________ - તીન કર્મ (૧) અસિકર્મ - તલવાર તેમજ બધા પ્રકારનાં હથિયાર જેવાં કે – બર્ફી, ભાલા, ધનુષ્યબાણ, બંદૂક, તમંચા, પિસ્તોલ, ચાકુ, કાતર, સોય વગેરે જે ઉપયોગ આવે, એની સંખ્યા.............નું પરિમાણ કરવું. (૨) મસિકર્મ – મસિ- સહી તેમજ લખવાનાં સાધન ખડીયો, કલમ, પેન, પેન્સિલ વગેરેની સંખ્યા ......નું પરિમાણ કરવું. (૩) કૃષિ કર્મ- કૃષિ એટલે ખેતી, ખેતીના ઉપયોગમાં આવનાર ટ્રેક્ટર, હળ, કોદાળી, નૈતી, હલવાણી, પાવડા વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. કરણી- (૧) રોજ ચૌદ નિયમો ધારણ કરવા. ' (૨) પંદર કર્માદાનના ઉત્તેજક-અર્થ વિનિયોગ, કમિશન, નિવિદા-પ્રદાન વગેરે નો ત્યાગ કરીને અલ્પ પાપવાળા વ્યવસાય કરવા. (૩) ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, તેમજ વ્યવસાયોની ઝંઝટોથી રહિત અને જ્ઞાન-આનંદના મંગલ ધામ એવા મોક્ષપદનું વારંવાર ચિંતન કરવું. (૮) અનર્થ દંડ-વિરમણ વ્રત સ્વરૂપ ઃ જેના વિના ચાલી શકે એવા નિમ્પ્રયોજન (૧) અશુભ ધ્યાન (૨) પાપ ઉપદેશ (૩) હિંસાકારક વસ્તુનું દાન અને (૪) પ્રમાદ આચરણનો ત્યાગ કરવો એ ચારોનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે (૧) અપધ્યાન - ઇષ્ટ (પ્રિય) નો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. એનું લગાતાર બે ઘડીથી વધારે ચિંતન કરવું. . (૪૯)

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70