Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 56
________________ (૮) વાહન સવારીનાં સાધન જેવાં કે હાથી, ઘોડા, ઊંટ, રથ, બળદગાડી, ઘોડાગાડી, મોટરકાર,રેલગાડી, સ્કૂટર, સાયકલ, વિમાન, વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. (૯) શયન : સુવા-બેસવાનાં સાધનો જેવા કે : આસન, સોફા, ખુરશી, પલંગ, ઢોલિયો, ખાટલો, ગાદી, તકીયા, બિસ્તરો, શેત્રુંજી, ચટ્ટાઇ, વગેરેની સંખ્યા............નું પરિમાણ કરવું. (૧૦) વિલેપન તેલ, કેસર, ચંદન, સુરમો, મેંશ, ઉબટન (પીઠી), સાબુ, બ્રશ, દર્પણ, મલમ વગેરે સંખ્યાનું પરિમાણ કરવું. (૧૧) બ્રહ્મચર્ય : કાયાથી મૈથુનનો દિવસે સંપૂર્ણ ત્યાગ અને રાત્રિમાં અમુક વારનું પરિમાણ કરવું. એટલે કે... ...વારથી વધારે નહીં. (૧૨) દિશિ ઃ દશે દિશાઓમાં આવવા-જવાનું પરિમાણ કરવું. જો કે આજીવન દિશાઓનું પરિમાણ દિપરિમાણ વ્રતમાં નિશ્ચિત કરવામાં આવે છે તો પણ તે વ્રતને દરરોજ વધુ ટૂંકાવવાનું છે. ઉપર ..............કિ. મી. નીચે કિ.મી. અને તીરછી દિશામાં કિ. મી. થી વધુ હું ક્યાંય પણ જઈશ નહીં. (૧૩) સ્નાન ઃ દિવસમાં અમુક વારથી વધારે વાર હું સ્નાન નહીં કરૂં. એવી ધારણા.................વારથી અધિક વાર સ્નાન નહિ કરું. (૧૪) ભક્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ ચારે આહારોનું કિલો કે લીટરના માપમાં પરિમાણ કરવું .થી અધિક નહિ. ઉપર મુજબના ૧૪ (ચૌદ) નિયમોની સાથે સાથે જીવનિકાય અને ત્રણ કર્મોની પણ સીમા કરવી જોઈએ. એનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ છે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70