Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari
View full book text
________________
(૯) પ્રથમ શિક્ષાવ્રત સામાયિક વ્રતા
સ્વરૂપ- સંસારના પાપ-વ્યાપાર છોડીને બે ઘડી એટલે (ઓછામાં ઓછી), અડતાલીસ મિનિટ સુધી સમભાવપૂર્વક ચારિત્રધર્મની આરાધના કરવી તેને સામાયિક કહેવાય છે. આ સામાયિક શ્રાવકે દોષ રહિત કરવાં જોઈએ. આથી સામાયિકમાં નીચે લખેલ દોષોનો ત્યાગ કરવો.
સામાયિકમાં ૩ર દોષોનો ત્યાગ કરવો. મનના દશ દોષ- ૧. અવિવેક, (૨) યશની ઇચ્છા, (૩) લાભની ઇચ્છા, (૪) અહંકાર, (૫) ભય, (૬) નિયાણું બાંધવું, ૭) ફળ પ્રત્યે શંકા રાખવી, (૮) ક્રોધ કરવો, (૯) અવિનય, (૧૦) ભક્તિ-શૂન્યતા. વચનના દશ દોષઃ ૧. અપશબ્દ, ૨, અવિચારી, ૩. મર્મઘાતી, ૪. પ્રલાપી, ૫. ખુશામતી, ૬. ઝઘડાકારી, ૭. વિકથાકારી, ૮. મશ્કરીવાળા, ૯. કર્કશ અને ૧૦ આવો-બેસો વગેરે સાવદ્ય પાપ વચન બોલવાં. " કાયાના બાર દોષઃ ૧. આળસ મરડવી, ૨. ઉંઘ લેવી, ૩. ઘુંટણો વાળીને બેસવું. ૪. અસ્થિર, આસનથી બેસવું, ૫. નજર જ્યાં
ત્યાં ફેરવવી, ૬. સંસારના કાર્ય કરવા, ૭. દીવાલ વગેરેનો ટેકો લેવો, ૮. એકદમ નમીને બેસવું, ૯. શરીરનો મેલ ઉતારવો, ૧૦. ખણવું, ૧૧. ટચુકા બોલાવવા તથા ૧૨. પગ લાંબા કરવા.
પ્રતિજ્ઞા : જીવન પર્યંત અમુક સામાયિક દરરોજ, દર માસે અથવા દર વર્ષે કરીશ.........સામાયિક-પ્રતિક્રમણ.....કરીશ.
અતિચાર : (૧) કાયદુપ્પણિધાન : શરીર અથવા શરીરના અવયવોને પૂજ્યા વિના જ્યાં ત્યાં રાખવાં. (૨)
૫)

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70