________________
સમય ગુમાવવો, ૭૫. વ્યસની બનીને ભોજન કરવાનું પણ ભૂલી જવું, ૭૬, ખુદ નગુણા બનીને પોતાના કુલની પ્રશંસા કરવી, ૭૭. સ્ત્રીના ડરથી ભિક્ષુને દાન ન આપવું, ૭૮. કંજુસાઈ કરવાથી દુર્ગતિ પામવી, ૭૯. જેના દોષો જગ બત્રીશીએ ચઢેલા હોય તેની પ્રશંસા કરવી, ૮૦. સભાનું કાર્ય ચાલુ હોય અને વચમાંથી ઉઠી જવું, ૮૧.દૂત બનીને સંદેશો ભૂલી જવો, ૮૨. ખાંસીનો રોગ હોવા છતાં ચોરી કરવા જવું, ૮૩. યશની ખેવનાથી ભોજન ખર્ચ વધુ રાખવો, ૮૪. લોકપ્રશંસાની આશાએ ઓછો આહાર લેવો, ૮૫. જે વસ્તુ થોડી હોય તેને અધિક માત્રામાં ખાવાની ઈચ્છા કરવી, ૮૬. કપટી અને મધુરભાષી લોકોનાં ફંદામાં ફસાઈ જવું, ૮૭. વેશ્યાના પ્રેમી સાથે ઝગડો કરવો, ૮૮.બે જણ જ્યા ખાનગી વાત કરતાં હોય ત્યાં જવું, ૮૯. પોતાના ઉપર રાજાની સદા મહેરબાની કાયમ રહેશે એવો વિશ્વાસ કરવો, ૯૦.અન્યાયથી સુદશા પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી, ૯૧. નિર્ધન હોવા છતાં ધનથી થતાં કાર્ય કરવા જવું, ૯૨. ગુપ્ત વાતને લોકમાં જાહેર કરવી, ૯૩. યશપ્રાપ્તિ માટે અપરિચિત વ્યક્તિની જામીન આપવી, ૯૪. હિતવચન કહેનાર સાથે વેર બાંધવું, ૯૫. લોક વ્યવહાર ન જાણવો, ૯૬. યાચક થઈને ગરમાગરમ ભોજન કરવાની આદત રાખવી, ૯૮. મુનિરાજ હોવા છતાંય આચાર પાલનમાં શિથિલતા રાખવી, ૯૯.દુષ્કર્મ કરતાં શરમાવું નહિ, ૧૦0. ભાષણ કરતી વખતે વારંવાર હસે તેને મૂર્ખ સમજવો. આ પ્રમાણે મૂર્ખ વ્યક્તિનાં સો અપલક્ષણો છે. તથા જે જે કરવાથી આપણો અપયશ થાય તે બધાયનો ત્યાગ કરવો.